Book Title: Aacharopnishad
Author(s): Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 42
________________ અથ આચારોપનિષદ્ ૮. છંદના ગુરુની આજ્ઞાપૂર્વક પહેલા ગ્રહણ કરેલા આહાર આદિનું જે યથાયોગ્ય દાન કરવું, એ છંદના નામની સામાચારી છે. || ૧ || - આત્મલબ્ધિક (પોતે જ લાવેલી ગોચરી વાપરનાર), વિશિષ્ટ તપસ્વી વગેરેને આશ્રીને આ સામાચારી વિશેષવિષયક છે. માટે બાકી બધાએ આ સામાચારીનું પાલન કરવાનું હોતું નથી. || ૨ || બાકી બધા મુનિઓ તો માંડલીમાં વાપરનારા હોય, અને એકાસણાના તપવાળા હોય. માટે તેમની પાસે પહેલા ગ્રહણ કરેલ આહાર ન હોય. માટે તેમને છંદના સામાચારી ન હોય. || ૩ || આત્મલબ્ધિક વગેરેને પોતાના પ્રમાણ કરતા વધારે વહોરવાનું શાસ્ત્રસમ્મત છે. કારણ કે વધારાનો આહાર બાળ-ગ્લાન વગેરેને આપી શકાય અને તેનાથી થતી નિર્જરાથી પોતાના આત્મા પર અનુગ્રહ થાય. || 8 ||

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80