________________
અથ આચારોપનિષદ્
२१
વળી રત્નત્રયીરૂપ કાર્ય માટે બહાર જનાર મહાત્મા પણ જો ગુરુની આજ્ઞા ન લે, તો એ અકાર્ય બની જાય. કારણ કે સાધુનું બધું જ ગુરુને આધીન છે, એ નિઃશંક છે. II ૫ II
વળી મુનિ રત્નત્રયી માટે જતા હોય, ગુરુની આજ્ઞા પણ હોય, તો ય ઉપયોગ વિના ચાલે, તો તેમની આવશ્યકી સામાચારી શુદ્ધ નથી, કારણ કે અનુપયોગને કારણે ઈર્યાસમિતિનો ભંગ થાય છે. II ૬ |
જે સર્વ આવશ્યકોથી યુક્ત છે, તે આવશ્યકી સામાચારી સહિત છે. કારણ કે ‘આવશ્યકી' ની વ્યુત્પત્તિ તેનામાં જ ઘટે છે, બીજામાં ઘટતી નથી. || ૭ ||
મુનિ ઉપાશ્રયમાં રહે, તો તેમને ચાલવાથી થતો કર્મબંધ થતો નથી, આત્મવિરાધના, સંયમવિરાધના વગેરે દોષો પણ લાગતા નથી, ઉલ્ટુ સ્વાધ્યાય વગેરે લાભો થાય છે.
|| ૮ |
માટે આવશ્યકી સામાચારીનું આ રહસ્ય જિનેશ્વરોએ કહ્યું છે, કે કારણ હોય તો જ બહાર જવું. અને કારણ હોય તો જરૂર જવું જ. કારણ કે એનાથી ગુરુની ઉપાસના (ગોચરી-પાણી વગેરેનો લાભ) વગેરે સિદ્ધિના ઉપાયો રૂપ ગુણો થાય છે. ॥ ૯ ॥