________________
અથ આચારોપનિષદ્ સાધુએ હંમેશા પોતાની શક્તિનું ગોપન કર્યા વિના જ રહેવું જોઈએ. તેથી ઉત્કૃષ્ટ પ્રયોજન વિના બીજા પાસે કોઈ અભ્યર્થના ન કરવી જોઈએ. || 9 ||
જો રોગ વગેરે કારણોથી મુનિને અભ્યર્થના કરવી જ પડે, તો પણ રત્નાધિકને ન કરવી. (વડીલને કામ ન સોપવું.) હા, જ્ઞાન વગેરેનું પ્રયોજન હોય, તો રત્નાધિકને પણ (વાચના વગેરે માટે) વિનંતિ કરવી. || 8 ||
સાધુ તો નિર્જરાનો અભિલાષી હોય. એ જુએ કે બીજાને પ્રયોજન છે, તો પોતે સામે ચાલીને વિધિપૂર્વક વિનંતિ કરે કે, આપની ઈચ્છા હોય, તો મને આટલો લાભ આપો. || ૮ ||
બળપૂર્વક પરાણે કોઈ પાસે કાંઈ કામ કરાવવું, એ મુનિને કહ્યું નહીં. માટે રત્નાધિક આદિ પ્રત્યે ઈચ્છાકારનો જ પ્રયોગ કરવો જોઈએ. અપવાદથી તો બળપૂર્વક પણ (અધિકારી વ્યક્તિએ) કાર્ય કરવું જોઈએ. તે અવિનીત ઘોડાના દષ્ટાંતથી સમજવું જોઈએ. || ૯ ||