Book Title: Yogadrushti Sangraha Author(s): Prashamrativijay Publisher: Pravachan Prakashan Puna View full book textPage 5
________________ સ્યાદ્વાદકલ્પલતા જેવા ગ્રંથોની તુલના કરવા સાથેનો અભ્યાસ. જીવનબળ છે. + શ્રીહરિભદ્રયોગદૃષ્ટિમાં જે વિષયો નથી તે વિષયોની યોજના શ્રીયશોયોગ દૃષ્ટિમાં છે. તો એ બંને ગ્રંથ વચ્ચેનો તુલનાત્મક અભ્યાસ. યોગદૃષ્ટિસંગ્રહ દ્વારા આપણો આતમરામ પરમપદના પંથે પ્રગતિ પામે એ જ શુભાભિલાષા. + શ્રી આઠ દૃષ્ટિની સઝાયનો ટબો, જે પૂ. આ. શ્રી જ્ઞાનવિમલસૂરિમ.ની કૃતિ તરીકે પ્રસિદ્ધ છે તેની પદાર્થયોજના શ્રીહરિભદ્રયોગદૃષ્ટિ અને શ્રીયશોયોગદષ્ટિ સાથે સવાશે સુસંગત છે કે નહીં તેનું અધ્યયન. પુખરાજ રાયચંદ આરાધના ભવન સાબરમતી પ્રશમરતિવિજય કાર્તક વદ ચૌદશ અમાસ વિ. સં. ૨૦૬૦ + આઠ દોષોનું નિરસન, આઠ ગુણોની પ્રાપ્તિ ક્રમસર થાય છે તો એ આઠ તબક્કે જે પ્રગતિશીલ માનસિકતા હોય છે તેનું વિશ્લેષણ . + આત્મવિકાસની જે પદ્ધતિ આ ગ્રંથમાં પ્રસ્તુત થઈ છે તેની તુલના, યોગવિંશિકા, યોગશતક, યોગબિંદુ, યોગશાસ્ત્ર, ષોડશાધિકાર, અધ્યાત્મસાર જેવા શાસ્ત્રો સાથે કરીને સંપૂર્ણ રીતે જિનશાસનની મર્યાદાનો હોય તેવો યોગપદાર્થ સ્પષ્ટ કરી લેવો. આગમો દ્વારા પણ જે આજે ઉપલબ્ધ નથી થતું તે આ યોગદૃષ્ટિગ્રંથો દ્વારા મળી શકે તેમ છે. યોગની વાતો અને યોગની ચર્ચા તો ઘણા કરે છે. યોગની અંતરંગ અનુભૂતિ ભાગ્યે જ કોઈ કરી શકે છે. આ સંપાદનનો ઉપયોગ આવી અનુભૂતિ પામવા માટે થાય તો પરમ સંતોષ મળે. પૂજયપાદ, તપાગચ્છાધિરાજ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વજીમ., પૂજયપાદ સુવિશાળગચ્છાધિપતિ આચાર્યભગવંત શ્રીમદ્વિજયમહોદય સૂરીશ્વરજી મ., પૂજયપાદ બહુશ્રુત પિતામુનિરાજશ્રી સંવેગરતિવિજયજી મ.ના અગણિત ઉપકારો વિના આવી પ્રવૃત્તિ થઈ જ ન શકે તે નિશ્ચિત છે. આ સંપાદનમાં ઘણી ઘણી સહાય કરનારા, મારા પ્રાણપ્રિય પૂ. બંધુ મુનિરાજશ્રી વૈરાગ્યરતિવિજયજી મ.નો સદાવાસી સહવાસ એ મારુંPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 131