Book Title: Sheth Anandji Kalyanji Pedhino Itihas 1
Author(s): Ratilal D Desai, Shilchandrasuri
Publisher: Anandji Kalyanji Pedhi

Previous | Next

Page 308
________________ દસમા પ્રકરણની પાદધો ૧. તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની યાત્રાએ જતાં ભાવિક યાત્રિ પાસેથી, રાજ્ય તરફથી, મનફાવે તે રીતે. મંડકાવેરા તરીકે કે કરરૂપે કેટલી રકમ વસૂલ કરવામાં આવતી હતી, તેની કેટલીક માહિતી, આ પુસ્તકના પાંચમા પ્રકરણ (પૃ. ૫૩)માં તથા એ પ્રકરણની ૧૦ મા નંબરની પાદનોંધ (પૃ. ૮૩-૮૪)માં આપવામાં આવી છે. નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીએ અમદાવાદમાં બીબીપુરામાં બંધાવેલ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના ભવ્ય, વિશાળ અને શિલ્પકળાના એક ઉત્તમ અને સુંદર નમૂના સમા જિનાલયની, શાહજાદા ઔરંગઝેબે એને ખંડિત કર્યું એની, વિદેશી પ્રવાસીઓએ કરેલી એની પ્રશંસાની, એ માટે રચાયેલ પ્રશસ્તિની અને એને રાજ્યના ખરચે સમું કરાવીને શ્રી શાંતિદાસ શેઠને પાછું સુપ્રત કરવા માટે બાદશાહ શાહજહાંએ આપેલ ફરમાનની સવિસ્તર માહિતી આ ગ્રંથના પાંચમા પ્રકરણની ૧૬ મા નંબરની પાદનોંધમાં (પૃ. ૯૦ થી ૯૪ સુધીમાં) આપી છે. આ મંદિરના શિલ્પકામની ભવ્યતાનું જે વર્ણન મંદિર ખંડિત થયું તે પહેલાં જર્મન પ્રવાસી આલ્બર્ટ ડી. મેન્ડેલએ અને મંદિર ખંડિત થયા પછી ફેંચ પ્રવાસી એમ. ડી. થેનેટે કર્યું છે, તે ઉપર સૂચવેલ પાદને ધમાં આપવામાં આવ્યું છે. એ જ રીતે ફ્રાન્સના એક જાણીતા ઝવેરી અને પ્રવાસી, કે જેમણે અમદાવાદની મુલાકાતો ઘણી વાર લીધી હતી, તે એમ. ટેવરનિયરે (M. Tavernier) પણ પિતાના “ટ્રાવેલ્સ ઈન ઈન્ડિયા” નામે પુસ્તકમાં એક ખંડિત મંદિરનું જે વર્ણન લખ્યું છે, તે પણ આ મંદિરને લગતું જ હેવાનું છે. કેમિસેરિયેટ માને છે, જે આ પ્રમાણે છે “There was a Pagoda in this place which the Muhammadans took possession of in order to turn it into a mosque. Before entering it you traverse three great courts paved with marble, and surrounded by galleries, and you are not allowed to place foot in the third without removing your shoes. The exterior of the mosque is ornamented with mosaic, the greater part of which consists of agates of different colours, obtained from the mountains of Cambay, only two days' journey from thence.” અર્થ “આ સ્થાનમાં (અમદાવાદમાં) એક પેગડા–પવિત્ર ઈમારત (જિનમંદિર)છે, જેને મુસલમાનેએ કબજે લઈને એને મજિદમાં ફેરવી નાખી હતી. એમાં પ્રવેશ કરતાં પહેલાં તમારે આરસ જડેલા અને ચારે કેર રસ (ગેલરી) ધરાવતા ત્રણ મંડપ (courts)માંથી પસાર થવું પડે છે; અને, તમારા જેવા કાઢયા વગર, ત્રીજ મંડપમાં પ્રવેશ કરવાની ૩૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405