Book Title: Sansarthi Moksh Sudhi
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 9
________________ હિંસા, અસત્ય, ચૌર્ય અને અબ્રહ્મ (મૈથુન) વગેરે સર્વ સાવધ યોગથી વિરામ પામવા સ્વરૂપ વિરતિ છે. અને વિરતિના અભાવને અવિરતિ કહેવાય છે, જે પાપની અનિવૃત્તિ સ્વરૂપ છે. સામાન્ય રીતે અવિરતિના અસંખ્ય પ્રકાર છે. પૃથ્વીકાય, અપ્લાય અને તેઉકાયાદિ છ પ્રકારના જીવોની હિંસાથી વિરામ ન પામવા સ્વરૂપ તેમ જ પાંચ ઇન્દ્રિય અને છઠું મન: તેના વિષયોના ભોગોથી વિરામ ન પામવા સ્વરૂપ અવિરતિના બાર પ્રકાર છે. મિથ્યાત્વની વિદ્યમાનતામાં કે અવિદ્યમાનતામાં પણ અવિરતિનું પાપ ચાલુ હોય છે. હિંસાદિની કે વિષયોપભોગની પ્રવૃત્તિ કરાય કે ન પણ કરાય તો ય તેનાથી વિરામ પામવાની પ્રતિજ્ઞા ગ્રહણ કરેલી ન હોવાથી અવિરતિનું પાપ તો લાગ્યા જ કરે - એનો જેને ખ્યાલ ન આવે તે આ પાપથી દૂર થવા માટે વિચાર પણ કરી ના શકે. વિચિત્ર છે અવિરતિનો અધ્યવસાય ! પ્રવૃત્તિના અભાવમાં પણ પાપથી નિવૃત્ત થવાનો પરિણામ ન હોવાથી અવિરતિના કારણે પાપનો બંધ થયા જ કરે. આ જગતમાં અનન્તાનંત વિષયો પડેલા છે. આપણી પાસેના પણ વિષયોનો બધાનો ઉપભોગ આપણે કરી શકતા નથી, તો જગતના બધા વિષયોના ઉપભોગની સંભાવના પણ ક્યાંથી હોય ? છતાં સમસ્ત જગતના વિષયોના ઉપભોગનું અને સર્વ જીવોની હિંસાદિનું પાપ અવિરતિને કારણે લાગ્યા જ કરે. સ્કૂલ રીતે આ વસ્તુને સમજવી હોય તો એ રીતે સમજી શકીએ કે, આ જનમમાં દેવલોકનાં સુખો તો ભોગવવા મળવાનાં જ નથી. Jain Education international For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64