Book Title: Sansarthi Moksh Sudhi
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 13
________________ હોવાથી સંસાર પણ અનાદિનો છે. કર્મનો સર્વથા વિયોગ થઈ શકે છે. તેથી સંસારનો પણ અન્ત આવે છે. જે અનન્તજ્ઞાનીઓના આજ્ઞાના પાલનથી જ શક્ય છે. અન્યથા સંસારનો અન્ત શક્ય નથીએ સદાને માટે સ્મરણીય છે..... અનાદિકાળથી આત્માને ચારગતિમય આ સંસારમાં પરિભ્રમણ કરતાં આજ સુધી આપણા કુસંસ્કારો ખૂબ જ ગાઢ બનેલા છે. વિશિષ્ટ કોટિનું તથાભવ્યત્વ હોય તો શ્રી મરુદેવા માતાની જેમ માત્ર બે-ત્રણ ભવમાં મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. પરન્તુ બધા જીવો માટે એવું ના બને. મોક્ષે જવાની યોગ્યતા સ્વરૂપ ભવ્યત્વ બધા જીવોનું સમાન હોવા છતાં તે તે જીવોનું તથાભવ્યત્વ જુદું જુદું હોવાથી તે તે કાળે તે તે જીવોને મોક્ષની પ્રાપ્તિ થતી હોય છે. એક જ કાળે ઘાસમાં નાખેલી પણ બધી જ કેરીઓ એકસાથે નથી જ પાકી જતી. એની જેમ એક જ સમયે વ્યવહારરાશિમાં આવેલા જીવો એક સમયે જ મોક્ષમાં જાય એવું નથી પણ બનતું. એમાં તે તે જીવોના તથાભવ્યત્વનો ભેદ મુખ્ય કારણ છે, જે જ્ઞાનીઓ જ જાણી શકે છે. આપણને એનો ચોક્કસ ખ્યાલ ન હોવાથી આપણા તથાભવ્યત્વના પરિપાક માટે શ્રી અરિહન્તપરમાત્માઓની પરમતારક આજ્ઞાની આરાધનાનો પુરુષાર્થ અવિરતપણે ચાલુ રાખવો પડે છે. એ પુરુષાર્થના અચિન્ય સામર્થ્યથી મિથ્યાત્વમોહનીયાદિ કર્મોની લઘુતા થાય છે, જેથી આત્માની મોક્ષગમનની યોગ્યતાનો વિકાસ થવાની શરૂઆત થાય છે. એવી યોગ્યતાને શાસ્ત્રીય પરિભાષામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64