Book Title: Sansarthi Moksh Sudhi
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 37
________________ * અનુકૂળતાના રાગીને અને પ્રતિકૂળતાના દ્વેષીને સમાધિ દુષ્કર છે. * ઉદારતા એ ધર્મની જનેતા છે. જેનામાં ધર્મ આવ્યો તેનામાં ઉદારતા હોય જ. પૂ. હરિભદ્રસૂરિજી મહારાજે પહેલાં દાનવિંશિકા બનાવી. પૂજા કરનારા વધ્યા અને દાન કરનારા ઘટચા માટે સાધારણની ટીપ કરવી પડે છે. પણ શ્રીમંતો ધર્મ સમજતા થઇ જાય તો તેઓ જ્યાં વસતા હોય ત્યાં સાધારણનો ખાડો જોવા મળે નહીં, કેમ કે ધર્મી શ્રીમંતની ઉદારતા જ ખાડાને પૂરી દે તેવી હોય ને ! * દીકરા-દીકરી વધે તેનો બોજો લાગતો નથી અને આજે દાન કરવું પડે-એ, લોકોને મોટામાં મોટો બોજો લાગે છે ! પણ શાસ્ત્ર કહે છે કે શ્રાવકને દાનનું વ્યસન હોવું જોઇએ અને પછી જે જે ધર્મ કરે તે દીપ્યા વિના રહે નહિ. મોક્ષમાં ગયેલા ભગવાન કહેતા ગયા છે કે હું મોક્ષમાં જાઉં છું એટલે હવે કંઇ બોલવાનો નથી. પણ આત્મહિતેચ્છુ માટે મારી કહેલી મોક્ષમાર્ગની વાત તમને કહેવા માટે હું સાધુ મૂકતો જાઉં છું. તેનું કહેલું જે ન સાંભળે તે સાચા ભક્તો નથી અને અર્થ-કામ-સંસારની વાત કરે તે મારો સાધુ નથી. * દુઃખ વેઠો, એમ અભ્યાસ પડી જતાં દુઃખ વેઠવાની શક્તિ આવશે તો તમે બહુ સારા બની જશો. પણ જો સુખ ભોગવવામાં મઝા આવી તો તમે ખરાબ બની જવાના છો, એ અનુમાન ખોટું નથી. 34-~~-~~~-~ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64