Book Title: Sansarthi Moksh Sudhi
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 45
________________ વીતરાગનું શાસન બે વસ્તુનું નિયમન કરે છે : સાધ્ય અને સાધનનું. સાધ્ય કોઇ પણ હોય તો તે મોક્ષ છે અને તેનું સાધન કોઈ પણ હોય તો તે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમક્યારિત્ર-તપ છે. દુનિયાની સારી સામગ્રી એ પુણ્યનું ફળ અને પુણ્યનું ફળ પણ તજવાયોગ્ય લગાડે-એ સમ્યગ્દર્શનનું ફળ. સાધુ-આચાર પાળવો કઠણ છે. તેના કરતાં નરક અને તિર્યંચનાં આયુષ્ય પૂરા કરવાં મહાકઠણ છે. આ વાત આંખ સામે રાખે તેને સાધુ-આચાર કઠણ ન લાગે. * જે કર્મ તમને “આ મેળવ, તે મેળવ” એમ કહી - કહીને બધી દોડધામ કરાવે છે, તે જ કર્મ તમને નરકાદિમાં નાંખી આવશે તે વખતે શું કરશો ? માટે કર્મનું કહ્યું કરવા જેવું નથી. * ગુલામ ગુલામીમાંથી છૂટવા દહાડા ગણે છે, ગુલામીખત ક્યારે પૂરું થાય તેની રાહ જોયા કરે છે, તેમ સમકિતી સંસારથી છૂટવા માટે દહાડા ગણતો હોય અને વિરતિની રાહ જોતો હોય. આત્માને જ્ઞાન એવું મળવું જોઈએ કે જેના યોગે આત્મા સ્વયમેવ દિવસે દિવસે આરંભથી મુક્ત બનતો જાય. ન જ્ઞાની હોય, ન જ્ઞાનીની નિશ્રા હોય, એ સાધુ અસાધુ અને શ્રાવક એ અશ્રાવક. * અર્થ-કામની ઉપાસનામાં આત્માનો નાશ છે. Jain Education International For Private & Personal use only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64