Book Title: Sansarthi Moksh Sudhi
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 47
________________ * અનંતજ્ઞાનીની આજ્ઞા જે સ્વીકારે-પાળે તે તરે અને જે વિરાધે તે ભવોભવ રખડે. * સ્વાવાદના નામે ઊંધી વાતો કરવાથી જૈન શાસનનો નાશ થાય છે. સ્યાદ્વાદ એટલે મરજી આવે એમ કહેવું એમ નથી, પણ અનંતધર્માત્મક વસ્તુને સાપેક્ષપણે સ્વીકારવી-કહેવી એ છે. * ભગવાન શ્રી મહાવીરદેવનો એ મૌલિક સિદ્ધાંત છે કે છતી વસ્તુનો સદુપયોગ કરવો એ ધર્મ, પણ સદુપયોગ માટે વસ્તુ પેદા કરવી એ પાપ. એક વચનના ફેરફારમાં ઉસૂત્રભાષણ થાય અને અનંતો સંસાર વધે, માટે લખવા-બોલવા-વિચારવામાં પૂરા સાવધાન રહેવું. જેને તેને માટે આ શાસનમાં લખવા-બોલવાનો અધિકાર નથી. અપરાધી પ્રત્યે પણ અશુભ ન વિચારવું-એ સમ્યગ્દષ્ટિનું લક્ષણ છે. અનાદિકાળથી આત્માને વળગેલી સંજ્ઞા-લાલસામાંથી છૂટવા આત્માએ ઘણું સાવધ બનવું પડશે. ખ્યાતિ-પ્રસિદ્ધિ-માનપાન અને પૂજા માટે ભાગવું વ્યાખ્યાન કરવું એ તો અજ્ઞાન છે, જ્ઞાન નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64