SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ * અનંતજ્ઞાનીની આજ્ઞા જે સ્વીકારે-પાળે તે તરે અને જે વિરાધે તે ભવોભવ રખડે. * સ્વાવાદના નામે ઊંધી વાતો કરવાથી જૈન શાસનનો નાશ થાય છે. સ્યાદ્વાદ એટલે મરજી આવે એમ કહેવું એમ નથી, પણ અનંતધર્માત્મક વસ્તુને સાપેક્ષપણે સ્વીકારવી-કહેવી એ છે. * ભગવાન શ્રી મહાવીરદેવનો એ મૌલિક સિદ્ધાંત છે કે છતી વસ્તુનો સદુપયોગ કરવો એ ધર્મ, પણ સદુપયોગ માટે વસ્તુ પેદા કરવી એ પાપ. એક વચનના ફેરફારમાં ઉસૂત્રભાષણ થાય અને અનંતો સંસાર વધે, માટે લખવા-બોલવા-વિચારવામાં પૂરા સાવધાન રહેવું. જેને તેને માટે આ શાસનમાં લખવા-બોલવાનો અધિકાર નથી. અપરાધી પ્રત્યે પણ અશુભ ન વિચારવું-એ સમ્યગ્દષ્ટિનું લક્ષણ છે. અનાદિકાળથી આત્માને વળગેલી સંજ્ઞા-લાલસામાંથી છૂટવા આત્માએ ઘણું સાવધ બનવું પડશે. ખ્યાતિ-પ્રસિદ્ધિ-માનપાન અને પૂજા માટે ભાગવું વ્યાખ્યાન કરવું એ તો અજ્ઞાન છે, જ્ઞાન નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001167
Book TitleSansarthi Moksh Sudhi
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2007
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy