________________
* સભ્યત્વ વિનાનું જ્ઞાન-ચારિત્ર એ જ્ઞાન નથી અને ચારિત્ર નથી. * પાપભીરુ ને ભવભીરુ ન થાઓ ત્યાં સુધી કોઇની તાકાત નથી
કે તમારું ભલું કરે. સંસાર એ પાપ-સ્વરૂપ છે, પરિણામે દુઃખદાયી છે-એ વાત
હૈયે ઊતરે એટલે મિથ્યાત્વ ઓગળવા માંડે. * શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા સામેનો પ્રલાપ એ ઘણી જ ભયંકર
વસ્તુ છે. જમાનાના નામે શુદ્ધમાર્ગને વેગળો મૂકનાર મિથ્યાત્વી
* જેટલો સંસારનો ડર એટલો ધર્મનો પ્રેમ.
અતિ ઊના એવા ઘીથી ચોપડેલું ભોજન અને સાંધા વગરનું વસ્ત્ર : આ બે મળે એટલા ધનની શ્રાવકને ઈચ્છા હોય. આથી અધિક ઇચ્છા કરે તો ધર્મથી પડે, એમ ધર્મબિન્દુમાં
કથન છે. * સન્માર્ગની દિશા ભૂલ્યા માટે ઉત્તમભાવનાઓ વિણસી ગઈ.
પાંચમા આરામાં છઠ્ઠા આરાનું જીવન ન બનાવો... રાત્રિભોજન, અભક્ષ્ય ખાનપાન અનાચારાદિ છઠ્ઠા આરાના સંસ્કારો અહીં
નાંખવા જેવા નથી. * પાપ વગરનાં જેટલાં પરિવર્તન થાય એટલાં શિરસાવંધ. * પાપનો વિરોધ તો ધમમાત્રને જોઈએ.