________________
* ભોગના ત્યાગની ભાવના અને તાકાત એ જ માનવ-જીવનની મહત્તા.
* માનવજીવન એ કંઇ ભોગનું સાધન નથી.
* આપત્તિ અને સંપત્તિ - એ બંન્ને આર્ટરૌદ્રનું કારણ છે.
* દાનનું ફળ જો લક્ષ્મીની લાલસા હોય, તો એ દાન નહિ પણ સટ્ટો.
* ધર્મીના હૃદયમાં દેવ-ગુરુ રોમેરોમ હોય.
* માતા-પિતા, દુનિયાના સ્નેહી સંબંધી, એ સર્વના સંબંધ કરતાં સાધર્મિકનો સંબંધ ઊંચો અને તારક છે.
* વિષયનો વિરાગ, કષાયનો ત્યાગ, ગુણાનુરાગ અને ક્રિયામાં અપ્રમત્તપણું પ્રગટે - એવો ધર્મ મોક્ષનો ઉપાય છે.
* જમાનાના નામે, દેશભક્તિના નામે આચારને અને સિદ્ધાન્તને દૂર મૂકવાનું કહેનારા સાધુ નથી, ને તેમાં હા ભણનારા શ્રાવક નથી.
* જિનશાસનથી વિરુદ્ધ કાંઇ પણ વિચારાય નહિ - એવી માન્યતાવાળો જ શાસનની સાચી સેવા કરી શકે.
× ધર્મ - સિદ્ધાંતની રક્ષા કરે તેને ઝઘડાખોર ન કહેવાય.
ન
* વિચાર-વિરુદ્ધ કરે તેનું સમ્યગ્દર્શન ન રહે અને આચારવિરુદ્ધ કરે તેનું ચારિત્ર ન રહે.
45
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org