________________
મુક્તિ ન મળે ત્યાં લગી જવા માટે ચાર ગતિ છે. દેવ, મનુષ્ય, તિર્યંચ, નારકી : આ ચાર ગતિમાં ક્યાં જવું છે ?
܀܀܀
માનવજીવન પરમાત્મા થવા માટે.
પરમાત્મા થવા માટે સાધુ થવાનું.
સાધુ ન થવાય તો પરમાત્મા-સાધુ થવાના આદર્શપૂર્વક સજ્જન બનવાનું.
સજ્જન : આત્મનઃ પ્રતિાનિ રેષાં ન સમાત્। પોતાને પ્રતિકૂળ લાગે તેવું વર્તન બીજા પ્રત્યે ન કરવું.
܀܀܀
સંસારસુખનો રાગ; આત્માને લુચ્ચો, બહ્માશ, ચોર, અસત્યવાદી બનાવનાર છે, સઘળાંય દુઃખોનું મૂળ છે અને મોટામાં મોટું પાપ એ જ છે.
܀܀܀
સંસારસુખના ત્યાગી પૂ. સાધુ-સાધ્વીજી મ. અને સંસારસુખના વિરાગી શ્રાવક-શ્રાવિકા.
આ સંસારનું સુખ મજાનું લાગે અને તેની લાલસા સારી લાગતી હોય તો સમજવાનું કે “તે હજુ ધર્મ પામ્યો નથી.'' અમારું સૌથી પ્રથમ કાર્ય ‘‘સંસાર ભૂંડો લગાડવાનું.’’
54
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org