Book Title: Sansarthi Moksh Sudhi
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 38
________________ * સુખ છોડડ્યા વિના અને દુઃખ ભોગવવા તૈયાર થયા વિના મોક્ષમાર્ગના આચાર પળે નહીં. * દાન જ્યાં - ત્યાં ન થાય. પાત્ર-અપાત્ર જેવું પડે. સાર દરિયામાં ન નંખાય. સુપાત્ર અને અભયદાન જ મોક્ષક્લક છે. ઇચ્છા મરે એટલે આત્મિક સુખનો અનુભવ થાય. આજે તમારી બધી મજૂરી અને દોડાદોડ ઇચ્છાને આભારી છે. શાસ્ત્ર કહે છે કે ઇચ્છાઓને દબાવવી-કચરવી એ જ દુઃખને કાઢવાનો ઉપાય છે, અન્યથા જાતે જ રિબાવાનું ફળ ઈચ્છાઓ દેખાડશે. દુઃખ વેઠવાના અને સુખ છોડવાના જે જે ઘરમાં સંસ્કાર હોય એ બધાં ઘરો સુખી. * દુનિયાનું કોઈ પણ સુખ અનેકને દુઃખ દીધા સિવાય ભોગવાય એવું નથી, એવી સમજવાળા જીવને દુનિયાના સુખની જરૂર પડે ત્યાં જ આઘાત થાય! આ જ દયાની પરિણતિનું બીજ છે. જેને સંસારનું સુખ જોઈતું નથી અને કર્મના યોગે દુઃખ આવે તેની ગભરામણ નહીં, એને સમાધિ ને ખુમારી રહેવાની. સાધુનો સંસર્ગ વધે તેમ તેમ વૈરાગ્ય વધે ને? અને ઘણાં વરસના સંસર્ગ પછી પણ વૈરાગ્ય ન વધે તો તેની ચિંતા જાગે ને કે આયુષ્ય ઘટતું જાય છે, પણ મારું આત્મહિત ક્યારે સાધીશ? 859 Jain Education International For Private & Personal use only. www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64