Book Title: Sansarthi Moksh Sudhi
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 41
________________ * સાધુ એટલે દુઃખમાં રુએ નહિ અને સુખમાં હસે તો નહિ પણ સુખની સામું પણ ન જુએ. જ સુખમાં હસવું અને દુઃખમાં રોવું એ ભારે કર્મબંધનું કારણ કર્મસત્તા અને ધર્મસત્તાને બહુમેળ છે. જે ધર્મસત્તામાં દાખલ થઈ જાય તેને કર્મસત્તા અનુકૂળ થઈ જાય છે. પણ ધર્મસત્તામાં દાખલ થઇ ગયેલા લુચ્ચાઈ કરે તો કર્મસત્તા એની ભારે ખબર લઈ નાંખે છે. એને કોઇની શરમ નથી. સિદ્ધાન્ત અને વિધિ બધામાં જરૂરી છે. કાઉસ્સગ્ગ કહ્યો હોય તેટલો જ થાય. બાઈઓ રસોઈમાં મસાલો વધારે કરી નાંખે તો રસોઈ ફેંકી દેવી પડે, જાનવર પણ ન ખાય. ચોપડામાં જ્યાં જમા-ઉધાર હોય તેટલો જ થાય. એમાં એક મીંડું પણ ઓછું-વતું ન લખાય, લખે તો કાં તો લુચ્ચામાં ખપે અને કાં તો ભીખ માગે. એમ સિદ્ધાન્તમાં ફેરફાર થાય નહીં. * મોહનીયના ક્ષયોપશમભાવનું બળ ભયંકર અનાચારાદિ પાપોથી આત્માને દૂર રાખે છે. વેદના ઉદયની હાજરીમાં પણ સતીઓ સતીપણું પાળે છે. રાવણ જેવો માથા પછાડે અને સીતાજી આંખ ઊંચી ન કરે તે મહાસતી વેદોદયને ખાઈ જાય છે. ક્ષયોપશમ જાગૃત થાય એટલે બધા અશુભ વિપાકોદયો સમજી જાય છે, કે હવે આ અમને ઝૂડી-ઝૂડીને કાઢશે. * 38 Jain Education International for Private Personal use only www.jane brary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64