________________
સમ્યકત્વ પ્રાપ્ત થવાથી આત્માને અપૂર્વ એવા આનંદનો અનુભવ થાય છે. આ પૂર્વે આજ સુધી, મળ્યાનો આનંદ થતો હતો.હવે નથી જોઈતું'-એના આનંદનો અનુભવ થાય છે. મેળવવાનો આનંદ અને છોડવાનો આનંદ : એ બન્નેમાં જે ફરક છે તે આપણે સમજી શકીએ છીએ. એકમાં ઔદરિભાવ છે, બીજામાં ક્ષયોપશમભાવ છે. એકમાં પૌદ્ગલિકભાવ છે, બીજામાં આત્મભાવ છે. એકમાં સંયોગ છે, બીજામાં સ્વભાવ છે. માત્ર અન્તર્મુહૂર્ત માટે પણ સમ્યકત્વનો પરિણામ સ્પર્શી જાય તો આત્માને ચોક્કસ જ અર્ધપુલ પરાવર્તકાળથી વધારે કાળ આ સંસારમાં ભટકવાનું બનતું નથી. વધારેમાં વધારે છાસઠ સાગરોપમ સુધી આ સમ્યકત્વનો પરિણામ ટકે છે. ત્યાર પછી એ કાલ દરમ્યાન જો મોક્ષની પ્રાપ્તિ થઇ ન હોય તો તે પરિણામ પડી જાય છે. પહેલો એ પરિણામ; જઘન્યથી અન્તર્મુહૂર્ત પછી અને ઉત્કૃષ્ટથી અદૂધપગલપરાવર્તના અન્તિમભાગમાં પાછો આવે છે. ભૂતકાળના નિકાચિત તે તે કર્મના યોગે પાપની પ્રવૃત્તિ કરવા છતાં સમ્યકત્વના પરિણામને લઇને પાપબન્ધ અલ્પ થાય છે; અને નિર્જરા ઘણી થાય છે. પાપ કરવાનું મન ન હોય અને કર્મના યોગે તે કરવું પડે ત્યારે માનસિક સ્થિતિ કેટલી દયનીય હોય તે આપણે સમજી શકીએ છીએ. પ્રવૃત્તિ અને પરિણામ : બન્ને વિરુદ્ધ દિશાના હોય ત્યારે પ્રબલ સંઘર્ષ થતો હોય છે, જેનો અનુભવ સમકિતીને જ થઈ શકે ને ? સર્વવિરતિધર્મની તીવ્ર લાલસા હોય અને અવિરતિ પકડી રાખે ત્યારે જે દુઃખ થાય છે તે દુઃખ આત્માના સમ્યગ્દર્શનને જણાવે છે. દૃઢ આસ્તિય, અવિચલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org