Book Title: Sansarthi Moksh Sudhi
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 32
________________ * પ્રતિજ્ઞા એ બંધન નથી, પણ કર્મના વળગાડમાંથી મુક્તિ છે. * પાંચ મહાવ્રત માટે, બાર વ્રત માટે અને તેના કારણરૂપ સમ્યક્રવ માટે જે તરફડિયાં મારે તે ભગવાનના સંઘમાં પ્રવેશ પામી શકે. આશ્રવ-પાપમય સંસાર છોડવાના હેતુપૂર્વકની ધર્મક્રિયા ચારિત્રમોહનીયને તોડી શકે. સર્વજ્ઞ સિવાય સંસારને કોઈ ઓળખાવી શકે નહીં. એ ન હોત તો તમે અને અમે બેઉ આંધળા હતા. બલિહારી એ તીર્થકર દેવોની કે જેમણે સંસારની અસારતા, રાગાંધજીવોની કૂરતા અને કર્મના દારુણ વિપાકો ઓળખાવી અનાદિના ઘોર મિથ્યા અંધકારમાં સાચો પ્રકાશ પાથર્યો. * મોહની ગ્રંથિ એ રાગ-દ્વેષનો ગાઢ પરિણામ છે. ગતના જીવોને રાગ શેનો છે - એ નક્કી કરો. કોઇ વ્યક્તિ પર કે કોઇ ચીજ ઉપર જે રાગ નથી તે ગાઢ રાગ છે સંસારના સુખ ઉપર અને ગાઢ વૈષ છે દુઃખ ઉપર. આ જ કર્મનું મર્મ છે. * દુઃખ આવે પાપથી અને પાપ થાય છે સુખના માટે. તો દુઃખ ખરાબ નથી પણ પાપ ખરાબ છે અને પાપનું કારણ સંસારનું સુખ છે માટે તે સુખ જ સૌથી વધારે ખરાબ છે - આ કળ સમજાઈ જાય તે આત્મવીર્યનો દુરુપયોગ કરે નહીં અને કરે તો એના જેવો બીજો મૂરખ કોણ? * મા-બાપ કરતાં બૈરી-છોકરાની વધારે સેવા કરે તે માર્ગાનુસારી ન કહેવાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64