Book Title: Sansarthi Moksh Sudhi
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 34
________________ * દુનિયામાં લુચ્ચા, હરામખોર, નાગા, વિશ્વાસઘાતી, પ્રપંચી જે કોઇ નજરે ચઢે તો તેના કારણમાં ધન કે કામ-વાસના હશે તે તમે સમજી લેજો. * ધનવાનને પંપાળીને દાન કરાવીએ એ દાનથી કશો લાભ ન થાય. તમારી બુદ્ધિ સુધરે નહીં, મૂર્છા ઊતરે નહીં તો તમારું દાન લાભ કરે નહીં. * મદારી માંકડાથી જીવે અને મદારી સાપથી જીવે. તેમ તમારે ધનથી જીવવું પડે, પણ મદારી માંકડાને સાંકળથી બાંધી ચાલે અને સાપથી જીવનારો સાપ કરંડિયામાં રાખે તેમ તમે તમારા ધનને ન્યાય-નીતિના અંકુશમાં રાખ્યું છે ને ? અન્યથા જોખમ પાકું છે. * આજે તમારી બુદ્ધિ ઊંધે માર્ગે ચાલી, શરીર કેવળ ભોગમાં વપરાવા માંડ્યું, ધન તમારું બેંક કે સેઇફમાં રહે અને મોટે ભાગે બીજાના ઉપયોગમાં ન આવે એની કાળજી છે, કદાચ થોડું દાન તમે કરતા હો તો તે પણ કૂતરાને રોટલો ફેંકતા હો તેવી રીતે, પણ દાનનો મહિમા વધે તેવી રીતે નહિ અને વાણીનો તમે એવી રીતે ઉપયોગ કરવા માંડચો છે કે તમારા નોકર-ચાકર પણ પાછળ તમારાં વખાણ ન કરે-એવી સ્થિતિમાં મુકાયેલાનો ઉદ્ધાર મુશ્કેલ ને ? * ‘સંસારના લાલ-પીળાનું પરિણામ કાળું છે' આ વાત જે ભૂલ્યો તે ભટકી જવાનો. 31 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64