Book Title: Sansarthi Moksh Sudhi
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 26
________________ સ્ત્રી પોતાના પતિની સેવા કરતી હોવા છતાં તેનું મન પર પુરુષમાં જ લીન હોય છે. આથી સમજી શકાશે કે સાચો ધર્મ આત્મપરિણામ સ્વરૂપ છે. માત્ર બાહ્ય પ્રવૃત્તિમાં સાચા ધર્મનું સ્વરૂપ નથી. જે ધર્મ મોક્ષ અને તદનુકૂળ પરિણામનું કારણ છે તે ધર્મ જ વસ્તુતઃ શુદ્ધપરિણામલક્ષી છે. બાકીનો ધર્મ વસ્તુતઃ અશુદ્ધ છે. મુમુક્ષુઓએ સાચા શુદ્ધધર્મને આરાધવામાં પુષ્કળ પ્રયત્ન કરવો જોઇએ. દુનિયાની દરેક વસ્તુમાં સાચાપણાનો આગ્રહ રાખનારા પણ ધર્મના વિષયમાં તેવો આગ્રહ શા માટે રાખતા નથી-એ સમજાતું નથી. મૂળમાં ધર્મના ફળ સ્વરૂ૫ મોક્ષ વગેરેમાં આગ્રહ ન હોવાથી તેના સાધન સ્વરૂપ ધર્મના સાચા સ્વરૂપનો આગ્રહ ન હોય-એ સમજી શકાય છે. આથી જ અવાસ્તવિક ધર્મની પ્રવૃત્તિ વધતી ચાલી છે. પરિણામનિરપેક્ષ બાહ્યપ્રવૃત્તિ અને બાહ્યવેષ વગેરેને જ ધર્મ માનીને કરવામાં આવતી આરાધના ખાસ કોઇ ફળને આપે-એ વાતમાં કોઇ તથ્ય નથી. સામાન્ય રીતે પરિણામની પ્રાપ્તિ કરવામાં કે તેને ટકાવી રાખવામાં બાહ્ય ક્રિયાઓ કે વેષ ઉપયોગી બને છે. પરન્તુ પરિણામની પ્રાપ્તિ વગેરેનો આશય ન હોય તો માત્ર બાહ્યક્રિયાદિથી વાસ્તવિક પરિણામ સ્વરૂપ ધર્મની પ્રાપ્તિ થતી નથી. ભાવ ન આવેએ બની શકે પરંતુ ભાવનો ભાવ (આશય) પણ ન આવે તો કઈ રીતે ચાલે? સર્વ સાવદ્ય (પાપ) યોગોથી સર્વથા વિરામ પામેલા પૂ. સાધુ ભગવનો પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિઓનું પાલન કરે છે. દશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64