Book Title: Sansarthi Moksh Sudhi
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 29
________________ થયા પછી જરાકુમારના હાથે કૃષ્ણમહારાજા બાણથી વીંધાયા ત્યારે જરાકુમારે ચિકાર શોક કર્યો હતો. તે વખતે કૃષ્ણ મહારાજાએ જરાકુમારને શાન્ત કરવા કહેલું કે 'ભાઈ ! આવો આટલો શોક ના કરો ! શ્રી નેમિનાથ ભગવાને જે પ્રમાણે કહ્યું હતું તે પ્રમાણે જ બધું બન્યું છે.” ઈષ્ટ કે અનિષ્ટ ભાવોમાં હર્ષ કે વિષાદથી દૂર રહેવા માટે નિયતિનો વિચાર બરાબર છે. પરન્તુ સંયમાદિની સાધના કરતી વખતે નિયતિમાં ભાર આપવાનું ઉચિત નથી. આર્તધ્યાન ટાળવા માટેની ઉપયોગી વિચારણા ધર્મારાધનની ઉપેક્ષા કરવા માટે ન હોય-એ સમજી શકાય એવું છે. અનિષ્ટથી બચવા માટેનું સાધન; ઈષ્ટની હાનિ કરે એવું તો ન જ હોય ને ? જે બન્યું છે તે બનવાનું જ હતું. એમાં સુખી કે દુઃખી થવાની આવશ્યકતા નથી. હર્ષ કે શોક કરવાની જરૂર નથી. અવશ્યમેવ થનારા ભાવો કોઇ પણ રીતે અન્યથા નહિ થાય. એ ઈષ્ટ કે અનિષ્ટ હોય તો પણ તેની પ્રત્યે ઉપેક્ષાવૃત્તિ કેળવી લેવી જોઇએ. એ માટે નિયતિ'ની વિચારણા ખૂબ જ સરસ સાધન છે. એનો ઉપયોગ કરી રાગાદિ દોષોના ઉચ્છદ માટે આપણે પ્રયત્નશીલ બની રહીએ એ જ એકની એક શુભાભિલાષા.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64