Book Title: Sansarthi Moksh Sudhi
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 23
________________ દર્શનાવરણીય, મોહનીય અને અન્તરાય-આ ચાર ઘાતિકર્મના સર્વથા ક્ષયથી પ્રગટ થયેલો એ આત્મગુણ છે. અનન્ત ચતુષ્ટય (અનન્ત જ્ઞાન, અનન્ત દર્શન, અનન્ત ચારિત્ર અને અનન્ત વીર્ય) સ્વરૂપ આત્મગુણોની પ્રાપ્તિ થવા છતાં ભવોપગ્રાહિ-વેદનીય આયુષ્ય નામ અને ગોત્ર : આ ચાર કર્મનો સર્વથા ક્ષય કર્યો ન હોવાથી તેના ઉદયમાં તેરમા ગુણસ્થાનકે આત્માને થોડા ન્યૂન એવા એક કરોડ પૂર્વ વર્ષ સુધી પણ રહેવાનું બને છે. અન્યથા ભવોપગ્રાહી (અઘાતી) કર્મો પણ ક્ષીણ થવા આવ્યાં હોય ત્યારે મન વચન કાયાના યોગોને નિરોધી આત્માને ‘અયોગી કેવલી' નામના ચૌદમા ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે, જેના અન્તે ભગવાન શ્રી કેવલી પરમાત્માઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે, જ્યાં અનન્તાનન્ત કાળ સુધી તેઓશ્રી સદાને માટે સ્વભાવસ્થ બની રહે છે. ઉપર જણાવ્યા મુજબ સર્વથા મોહનીયાદિ ધાતિ કર્મોના નાશની પૂર્વતૈયારીમાં જેમ આઠમા ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે તેમ કોઇ મહાત્માઓના તેવા વિશુદ્ધ પરિણામ ન હોય તો મોહનીય કર્મનો ઉપશમ (દબાવવા; ઉદયમાં ન આવે એ માટેનો પ્રયત્ન) કરવાના પ્રસંગે તેઓશ્રીને પણ આઠમા ‘અપૂર્વકરણ’ ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે. ત્યાં મોહનીયકર્મનો સર્વથા ઉપશમ કરવાની પૂર્વ તૈયારી કરીને નવમા ગુણસ્થાનકે સૂક્ષ્મ લોભને છોડીને બીજી બધી જ મોહનીયકર્મની પ્રકૃતિઓનો ઉપશમ કરે છે. દશમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરી સુક્ષ્મ લોભનો તેઓશ્રી ઉપશમ કરે છે. અને ત્યારબાદ ‘ઉપશાન્ત મોહ’ નામના અગિયારમા ગુણસ્થાનકને તેઓશ્રી પ્રાપ્ત 20 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64