Book Title: Sansarthi Moksh Sudhi
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 17
________________ થોડા સમય માટે નિર્મળ સ્પષ્ટ દેખાય છે. તેમ માત્ર અન્તર્મુહૂર્ત કાળ માટે કર્મના આવરણના અભાવે જે આત્મગુણોનો આવિર્ભાવ થાય છે; તે ઔપથમિકભાવ છે. અને ચમા વગેરેની સહાય વગર આંખથી જેમ સ્પષ્ટ રીતે પૂર્ણ દેખાય છે, તેમ કર્મનાં આવરણોના વિગમથી આત્માના સ્વાભાવિક ગુણોનો જે આવિર્ભાવ થાય છે, તે ક્ષાવિકભાવ છે. અનાદિકાળથી જીવને પ્રથમ ગુણસ્થાનકે મિથ્યાત્વનો પરિણામ છે. તેને સામાન્ય રીતે ગુણહીનગુણસ્થાનક કહેવાય છે. પરન્તુ પૂ. ગુરુભગવન્તના સંપર્ક આદિથી જ્યારે ઉપર જણાવ્યા મુજબ કર્મની લઘુતા થવાથી મિથ્યાત્વનો પરિણામ મંદ પડે છે; ત્યારે આત્માને પહેલી ચાર દૃષ્ટિઓ પ્રાપ્ત થાય છે. ત્યારે આ પ્રથમ મિથ્યાત્વગુણસ્થાનકે અનેક ગુણોની પ્રાપ્તિ થવાથી ગુણસંપન્ન પ્રથમ ગુણઠાણાની પ્રાપ્તિ થાય છે. આ ગુણસંપન્ન ગુણસ્થાનકે તત્ત્વ પ્રત્યે અષ, જિજ્ઞાસા, શુશ્રુષા અને શ્રવણ સ્વરૂપ ગુણો અનુક્રમે પ્રાપ્ત થાય છે. ખેદ, ઉદ્વેગ, શેપ અને ઉત્થાન સ્વરૂપ દોષો નાશ પામે છે. અને ધર્મનું ગુરુનું તથા દેવનું વાસ્તવિક સ્વરૂપ જ્ઞાત થાય છે. તદુપરાન્ત યોગનાં અનેક બીજ પ્રાપ્ત થાય છે. ભવ પ્રત્યે ઉદ્વેગ, વિનય, વિવેક, શિષ્ટ પુરુષો પ્રત્યે બહુમાન, આગમ પ્રત્યે અવિચલ શ્રદ્ધા અને સદ્ગુરુ ભગવન્તોનો પાવન પરિચય.. ઇત્યાદિ અનેક અવન્તર ગુણોની પણ અહીં પ્રથમ ગુણસ્થાનકે પ્રાપ્તિ થાય છે, જેથી કુતર્કની નિવૃત્તિ થાય છે અને અન્ત પાંચમી દૃષ્ટિની પ્રાપ્તિ થયે છતે જીવને ચોથા ગુણસ્થાનકે સમ્યકત્વનો પરિણામ પ્રાપ્ત થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64