Book Title: Sadbodh Sangraha Part 01 02 03
Author(s): Jayvijay
Publisher: Jasrajbhai Rajpalji Bhandari

View full book text
Previous | Next

Page 9
________________ આકર્ષી જાય તેવા સપૂણૅ સયાગા છતાં પવિત્રાત્મા કાનજીભાઇના દેવા સત્યમય નીતિમય વિચારા, ઉદ્ગારા અને જ્ઞાનમય સંસ્કારા હતા, એ તેમના પ્રગટ કરેલ વિચારાથી વાચક ગણને સુગમતાથી સમજાય તેમ છે. કાનજીભાઇ જ્યારે જ્યારે કોઇ વિદ્વાન મહાત્માના પ્રસંગમાં વ્યાખ્યાન સમયે વા અન્ય સમયે સમાગમાથે જતા અને સાધ શ્રવણ કરતા ત્યારે ત્યારે તે સહ્મેષને અતરમાં દીર્ધ વિચાર અને મનન પૂર્વક સ્થાપિત કરી સ્મૃતિમાં રાખી તે ખેાધને ઘેર આવ્યા પછી ધવલપત્ર (કાગળ) ઉપર ઉતારી લઇ તે પ્રમાણે વર્ત્તવા સતત પ્રયાસ કરતા અને દૃઢ મનેાઞળથી તેજ પ્રમાણે ઘણી વખત વતા. તેથીજ નાની વયમાં પણ તેમના જીવનમાં શાંતિ, ગ ંભીરતા, દયા, પરોપકાર, સહિષ્ણુતા, સદ્દસઁન, શીયળ, નીતિ, ઉત્સાહ માત પિતાની ભક્તિ, હૃદય વિશાળતા, અને વિવેકાદિ સદ્દગુા પ્રકાશી સ્ત્યા હતા. આવી લાયકાતને લીધે તે માંડવી જૈન કામમાં એક પવિત્ર યુવક ગણાતા હતા. આ બધું પૂર્વના સંસ્કારથીજ ખીલે છે, એમ તેમના જીવનમાંથી યથાર્થપણે સમજાય છે. તેથી પૂર્વજન્મના સુંસ્કાર જ્ઞાનનું અપૂર્વ પણું દર્શાવવા અને નવયુવાન કાનજીભાઇએ સાષથી પેાતાના હૃદયને કેવું પવિત્ર અને સુવાસિત બનાવ્યું હતું, તેના પવિત્ર ચિતારથી યુવાનવનાં અંતઃકરણોને આદર્શ બનાવવા આ ગ્રંથ મર્હુમ કાનજીભાઇની વિચારશ્રેણી તરીકે બહાર પાડવાને પ્રવૃત્તિ કરી છે. પુસ્તક સશાધન કરવાના આ લેખકના પ્રથમજ પ્રયાસ હોવાથી ગ્રંથ પ્રગટ કરવાની પદ્ધતિમાં વા અન્ય પ્રકારોમાં કયાંય પણ શબ્દોષ કે આશયદોષ રહેવા સંભવ છે; પરંતુ શબ્દોષ વા આશયોષ રહી જશે તેા ? એવી પામર ભીતિ લેખકના હૃદયમાં ઉદ્દભવે તે તે પેાતાની શક્તિના કદાપિ વિકાસ કરી શકતા નથી, એ કારણથી અને કલ્પસૂત્રની સુક્ષ્માધિકા નામની ટીકાના કન્હેં ઉપાધ્યાય મહારાજશ્રી વિનય વિજયજી જણાવે છે કેઃ—— ,, " हास्यो नस्यां सद्भिः कुर्वन्नेताम तीक्ष्णबुद्धिः । यदुपदिशति न एव हि शुभे यथाशक्ति प्रयतनीयं " ॥ १ ॥ ॥ ॥ પોતાની શક્તિ પ્રમાણે સત્પ્રવૃત્તિના પ્રયાસ કરવાથી આત્મ શક્તિને વિકાસ · વૃદ્ધિંગત થાય છે. એ મહાન જ્ઞાનીના પવિત્ર વચનની પ્રેરણાથી એ ગ્રંથ શેાધનના ખાજો લેખકે પેાતાના શિરે લીધા છે, જેથી શબ્દ દોષ વા આશય દોષ વિગેરેની ભૂલને માટે વાચક વર્ગ હંસચંચુના ન્યાય અતઃકરણમાં રાખી લેખકની ભૂલને ક્ષમા આપશેા એવી આશા છે. એ શાંતિઃ શાંતિઃ શાંતિઃ !!! } સવત–૧૯૭૫ કાર્તિક પૂર્ણિમા. સંત ચરણાપાસક મુનિજય શુભ સ્થળ કચ્છ-માંડવી.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 378