Book Title: Piyo Anubhav Rasha Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ સામ્પતક औदासीन्यक्रमस्थेन भोगिनां योगिनामयम् । आनंदः कोऽपि जयतात् कैवल्यप्रतिहस्तकः ।।३।। :અર્થ : દાસીન્ય (મધ્યસ્થપણું) ના ક્રમ વડે ભોગ ભોગવતા એવા યોગીઓને મોક્ષ આપવામાં જામીનરૂપ એવો કોઈ આનંદ (ચિદાનંદ) થાય છે, તે આનંદ જય પામો! વિવેચન : સમતા-ગંગા-મગનતા, ઉદાસીનતા જાત, ચિદાનંદ જયવંત હો, કેવલ-ભાનું પ્રભાત! -- ઉપા. યશોવિજયજી. ચિદાનન્દનો જય હો! યોગી પુરુષોનો ચિદાનન્દ કહે છે : “હવે કેવળજ્ઞાનનું પ્રભાત પ્રગટ થયું સમજો! મુક્તિ હવે હાથવેંતમાં સમજો!' યોગીના હૃદયમાં આવો ચિદાનન્દ ઉદાસીનભાવના કારણો પ્રગટે છે. ઉદાસીનભાવની પરિભાષા ઉપાધ્યાયશ્રી યશોવિજયજી આ પ્રમાણે આપે છે : અનાસંગ મતિ વિષયમ્, રાગ-દ્વેષકો છેદ, સહજ ભાવમેં લીનતા, ઉદાસીનતા ભેદ. જ્યારે ઇન્દ્રિયોના વિષયોમાં અનાસક્તિ-અનાસંગ પ્રગટે છે અને રાગ-દ્વેષ ખૂબ મંદ પડી જાય છે ત્યારે યોગી સહજ આત્મભાવમાં લીન બને છે. આ લીનતાનું નામ છે ઉદાસીનતા. આવી ઉદાસીનતા પ્રગટ થયા પછી યોગીનો વિષયોપભોગ પણ અનાસક્ત ભાવે થાય છે... અને ચિદાનન્દની મસ્તી અખંડ રહે છે. આ ઉદાસીનતાને “સમાધિશતક'માં - ૦ ઉદાસીનતા સુખસદન. ૦ ઉદાસીનતા સરલતા. ૦ ઉદાસીનતા જ્ઞાનફળ. કહેવામાં આવી છે. કારણ કે આવી ઉદાસીનતામાંથી જ ચિદાનન્દ પ્રગટે છે. ગ્રંથકાર આવા ચિદાનન્દનો જય પોકારે છે! For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122