Book Title: Piyo Anubhav Rasha Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 68
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૪ સામ્યશતક अजितैरिन्द्रियैरेषः कषायविजयः कुतः? तदेतानि जयेद्योगी वैराग्यस्थेमकर्मभिः ।।५३ ।। : અર્થ : એ કષાયવિજય ઇન્દ્રિયોને જીત્યા વિના ક્યાંથી થાય? તેથી યોગીએ વૈરાગ્યની સ્થિરતા કરી, ઇન્દ્રિયોને જીતવી જોઈએ. .: વિવેચન : ચારેય કષાયોના અપાયો-નુકસાનો બતાવ્યા પછી, એ કષાયો પર વિજય મેળવવાના જુદા જુદા ઉપાયો બતાવ્યા પછી, ગ્રંથકાર કહે છે : એક વાત નિશ્ચિતરૂપે સમજી લો : ઇન્દ્રિયોને જીત્યા વિના તમે કપાયોને નહીં જીતી શકો. માટે, જો તમારે કપાયવિજય મેળવવો જ છે, તો ઇન્દ્રિયો પર, પાંચેય ઇન્દ્રિયો પર વિજય મેળવવો પડશે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે - होत न विजय कषायको, विनु इन्द्रिय वश कीन, ताते इन्द्रिय वश करे, साधु सहज गुण लीन । ઇન્દ્રિયો પર વિજય મેળવવો સરળ નથી, ઘણો મુશ્કેલ છે. યોગી-મુનિ જ ઇન્દ્રિયવિજય મેળવી શકે, પાંચ ઇન્દ્રિયોના અસંખ્ય વિષયો પ્રત્યે વૈરાગ્યને દૃઢ કરવાથી જ વિજયી બની શકાય છે. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ - આ પાંચ વિષયોના અસંખ્ય પ્રકારો છે. એના પ્રત્યે વૈરાગ્ય આવે તો જ રાગ-દ્વેષ ઘટે, નાશ પામે... અને ઇન્દ્રિયો શાન્ત થાય પછી ક્રોધ વગેરે કપાયો શાન્ત થવાના જ. ઇન્દ્રિયવિજય મેળવવાનો શ્રેષ્ઠ ઉપાય છે વિષયવૈરાગ્ય. પાંચેય ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે વૈરાગ્ય જોઈએ. વિષયો પ્રત્યે પ્રિય-અપ્રિયની કલ્પનાઓ નહીં કરવાની. આ વિષય સારો, આ વિષય ખરાબ.... આ વિષય મને ગમે, આ વિષય મને ન ગમે...” આવી પ્રિયાપ્રિયની, ઇનિષ્ટની, ગમા-અણગમાની કલ્પનાઓ નહીં કરવાની. મનને એવી કલ્પનાજાળમાંથી મુક્ત કરવાનું. તો જ વૈરાગ્ય આવે, તો જ ઇન્દ્રિયવિજય મળે, અને તો જ કપાયવિજય થાય. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122