Book Title: Piyo Anubhav Rasha Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 103
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સામ્યશતક ૮૯ स्फुरत्तृष्णालताग्रंथि-र्विषयावर्तदुस्तरः। क्लेशकल्लोलहेलाभिभैरवो भवसागरः ।।८८ ।। : અર્થ : આ સંસારરૂપ સમુદ્રમાં તૃષ્ણારૂપી લતા-ગ્રંથિઓ સ્કુરાયમાન થાય છે, વિષયોરૂપ આવર્તાથી તે દુસ્તર છે અને ક્લેશરૂપ તરંગોની ક્રિીડાથી ભયંકર છે. વિવેચન: આ સંસાર એક મહાસાગર છે. આ મહાસાગરમાં તૃષ્ણાઓની લતાઓ ફેલાયેલી છે. એટલે તરનારાઓ એ લતાઓમાં અટવાઈ જાય છે. તેમના શરીરે એ તૃષ્ણા-લતાઓ વીંટળાઈ જાય છે. એવી રીતે આ મહાસાગરમાં ઠેર-ઠેર વિષયોના આવર્ત રહેલા છે. આ વિષયાવર્તા બહુ ખતરનાક હોય છે. જે જીવો એ વિષયાવતમાં ફસાય છે, તેઓ ઊંડા પાણીમાં ડૂબી જાય છે. આ મહાસાગરમાં લેશોના તરંગો નિરંતર ઊછળ્યા કરે છે. એવા ભયંકર એ તરંગો હોય છે કે જીવાત્માઓ પણ એ તરંગો સાથે ઊછળ્યા કરે છે અને પછડાયા કરે છે! જાત-જાતના ફ્લેશોમાં જીવો ઊછળ્યા કરે છે અને પછડાયા કરે છે ને! માટે આ ભવસાગર દુસ્તર છે અને ભયંકર છે. આવા ભવસાગરમાં આપણો જીવ અનંતકાળથી ઊછળ્યા કરે છે ને પછડાયા કરે છે. જ્યારે સાગરમાં ઓટ આવે છે ત્યારે જીવાં કાંઈક શાન્તિ-સુખ અનુભવે છે. એટલે જીવોને થોડું ગમે છે, અને એ વખતે તરી જવા ઇચ્છતા નથી! ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે - तिसना विद्रुम वल्लिघन, विषय घुमर बहु जोर, भीम भयंकर खेद जल, भवसागर चिहुं ओर । ('વિષય-ઘુમર' એટલે વિષયાવર્તા. “ભીમ ભયંકર ખેદ જલ' એટલે ક્લેશોના ભયંકર તરંગો. “તિસના' એટલે તૃષ્ણા. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122