Book Title: Piyo Anubhav Rasha Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 112
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૮ સાગ્યશતક योगग्रंथमहांभोधिमवमथ्य मनोमथा। साम्यामृतं समासाद्य सद्यः प्राप्नुहि निर्वृतिम् ।।९७ ।। ': અર્થ : હે આત્મનુ, યોગગ્રંથરૂપ મહાસાગરને મનરૂપ રવૈયાથી મંથન કર અને સમતારૂપ અમૃતને પ્રાપ્ત કરી તત્કાળ સુખી થા. :વિવેચન : શું તત્કાલ માનસિક સુખ જોઈએ છે? શું તત્કાલ મનના લેશોથી મુક્ત થવું છે? તો યોગના ગ્રંથો, યોગના શાસ્ત્રોનું અધ્યયન, મનન, ચિંતન કરી, મનના રવૈયાથી મંથન કરી, સમતામૃતને પ્રાપ્ત કર અને એ સમતામૃતનું પાન કર. યોગના ગ્રંથો મહાસાગર જેવા છે! મહાસાગરનું મનના મેરુથી મંથન કરો, તો સમતામૃતની પ્રાપ્તિ થશે; અને એ સમતામૃતનું પાન કરી તમે પરમસુખનો અનુભવ કરશો, જ આ ગ્રંથની રચના કરનાર આચાર્યદેવે, અનેક યોગગ્રંથોનું અધ્યયનમનન-મંથન કરીને આ ગ્રંથની રચના કરી છે. એટલે આપણને તો તૈયાર જ અમૃત-પ્યાલો મળી ગયો છે! બસ, એ અમૃતનું આપણે પાન કરીએ, પાન કરતા રહીએ, એ જ જરૂરી છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે – योगग्रंथ जलनिधि मथो, करी मन को मंथान, समता अमृत पाई के अनुभव रस को जान । જ્યારે જ્યારે મન અશાન્ત થાય, બેચેન થાય, ઉદ્વિગ્ન થાય, ત્યારે આ સામ્યશતકને હાથમાં લો અને એના ગમે તે ચાર-પાંચ શ્લોકનું એકાગ્રતાથી વાંચન-મનન કરો. તમને તત્કાલ શાન્તિ-સમતા મળશે. તમે સ્વસ્થ બનશો. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122