Book Title: Piyo Anubhav Rasha Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 110
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૩ સામ્યશતક साम्यब्रह्मास्त्रमादाय विजयन्तां मुमुक्षवः । मायाविनीमिमां मोहरक्षोराजपताकिनीम् ।।९५ ।। અર્થ: સામ્યરૂપ બ્રહ્માસ્ત્રને લઈને, મુમુક્ષુઓ મોહરૂપ રાક્ષસરાજની આ માયાવી સેના ઉપર વિજય મેળવો. વિવેચન : મોહ રાક્ષસરાજ છે. રાક્ષસરાજની સેના ઘણી માયાવી હોય છે. માયાવી સેના ઉપર વિજય મેળવવો ઘણો-ઘણો અઘરો હોય છે. મોહ રાક્ષસરાજ છે, અને એની સેના ભયાનક માયાવી છે. એ ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ-અરતિ, ભય, શોક, જુગુપ્સા, પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ. આ બધી સેના મોહની છે. એક-એક ઉપર વિજય મેળવવો મહા મુશ્કેલ છે. આ બધાં માયાવી છે, એટલે જુદાં જુદાં રૂપ કરી શકે છે, જીવાત્માને છેતરી શકે છે. એટલે આ બધાં ઉપર વિજય મેળવવો અશક્ય લાગે છે. છતાં જો મુમુક્ષુ આત્મા પાસે સામ્યભાવનું બ્રહ્માસ્ત્ર આવી જાય તો એ માયાવી તેના પર વિજય મેળવી શકે છે. સામ્યભાવ એ બ્રહ્માસ્ત્ર છે. બ્રહ્માસ્ત્રની આગળ માયાવી સેનાનું કંઈ ઊપજતું નથી! બ્રહ્માસ્ત્રથી ત્રણ ભુવન પર વિજય મેળવી શકાય છે. જો તમે મુમુક્ષુ છો, મોક્ષ મેળવવાની ઇચ્છાવાળો છો, તો તમારે આ સામ્યભાવનું બ્રહ્માસ્ત્ર પાસે જ રાખવું જોઈએ. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે - सेना राखस मोह की, जीपे सुखे प्रबुद्ध. ब्रह्म-शस्त्र को लेइके, समता अंतर शुद्ध । જો તમે મુમુક્ષુ હશો તો જ સામ્યભાવનું બ્રહ્માસ્ત્ર તમારી પાસે આવશે અને રહેશે, અને તો જ મોહ-રાક્ષસરાજની માયાવી સેનાને પરાજિત કરી શકશો. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122