Book Title: Piyo Anubhav Rasha Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 71
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સભ્યશતક भोगीनो दृग्विषाः स्पष्टं दृशा स्पृष्टं दहंत्यहो। स्मृत्यापि विषयाः पापा: दंदह्यन्ते च देहिनः ।।५६ ।। : અર્થ : દષ્ટિવિષ” જાતના સર્પો જેને દષ્ટિથી સ્પર્શ કરે તે બળી મરે છે, પરંતુ પાપી વિષયો તો તેમના સ્મરણ કરવા માત્રથી જીવોને બાળી નાંખે છે! :વિવેચન : પાંચ ઇન્દ્રિયોના વિષયો, દૃષ્ટિવિષ સર્પ કરતાં ય વધારે ભયંકર છે. દુપ્રિવિલ સર્પોની દૃષ્ટિમાં - આંખોમાં ઝેર રહેલું હોય છે. એ સર્પો, જે જીવો પર દૃષ્ટિ નાખે, જે વૃક્ષો પર, જે પશુ-પક્ષી પર દષ્ટિ નાંખે... તે બળીને રાખ થઈ જાય છે. જ્યારે આ ઇન્દ્રિયોના વિષયોનું જે જીવ સ્મરણ કરે છે, તેને આ વિષયો બાળી નાંખે છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે : नयनफरस जनु तनु लभे, दहे द्रष्टिविष साप, तिनसुं भी पापी विषय, सुमरे करे संताप। પાંચ ઇન્દ્રિયના વિષયો સાથે મનમાં પણ પ્રેમ કરવાનો નથી, મનથી પણ એનો ભોગ કરવાનો નથી. અર્થાત્ માનસિક રીતે પણ વૈષયિક સુખોના ભોગપભોગની કલ્પનાઓ કરવા જેવી નથી. મનથી પણ કરેલી વિષયસ્પૃહા, વિષયભોગ, આત્માના શુભ પરિણામોને બાળી નાંખે છે. પવિત્ર અધ્યવસાયોનો ઘાણ કાઢી નાંખે છે. જો મનથી સ્મરણ કરવા માત્રથી આવું દુઃખદાયી પરિણામ આવે છે, તો એ વિષયોના શારીરિક ઉપભોગથી તો કેવું દારુ પરિણામ આવે? એ જાણવાસમજવા વિપાકસૂત્ર' ને એકાગ્રતાથી વાંચવું - સાંભળવું જોઈએ. વિષયાસક્તિના દારુણ વિપાકોનું વર્ણન સાંભળતાં કે વાંચતાં રૂંવાડા ખડાં થઈ જશે. પાંચ ઇન્દ્રિયો તો વિયો (પોતાના પ્રિય) મળતાં નાચી ઊઠે છે.... ખુશખુશાલ થઈ જાય છે, પરંતુ પરિણામ ભયંકર છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122