Book Title: Piyo Anubhav Rasha Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 80
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સામ્યશતક विषमेषुरयं धूर्तचक्रशक्रत्वमर्हति। दुःखं सुखतयादर्शि येन विधप्रतारिणा ।।६५ ।। : અર્થ : વિષમ બાણવાળો એ કામદેવ, ધૂર્ત લોકોના સમૂહનો ઇન્દ્ર થવાને લાયક છે, કારણ કે વિશ્વને ઠગનારો એ કામદેવ દુઃખને સુખરૂપે દેખાડે છે. વિવેચન : કામદેવ વિષમ' બાણવાળો છે. વિષમ' એટલે વિપરીત અથવા એકી સંખ્યાવાળાં (પાંચ) બાણ ધારણ કરનારો છે કામદેવ. જેમ ઠગારો - ધુતારો ખોટી વાતને ખરી અને ખરી વાતને ખોટી બતાવે છે, તેવી રીતે કામદેવ પણ દુઃખને સુખરૂપ બતાવીને આ દુનિયાને ઠગે છે, ભલભલા વિદ્વાનોને, જ્ઞાનીઓને પણ ઠગે છે, માટે તે ઠગારો છે, ધુતારો છે, પરંતુ સામાન્ય કોટિનો ધુતારો નથી, ધુતારા લોકોનો રાજા છે! એક વાત સમજી રાખો કે આ ધૂર્તસમ્રાટ કામદેવના સામ્રાજ્યમાં જીવવાનું છે અને રહેવાનું છે. સમગ્ર વિશ્વ, આ કામદેવનું સામ્રાજ્ય છે. એટલે તો ગ્રંથકારે “વિશ્વ પ્રતારિણા' શબ્દનો પ્રયોગ કર્યો છે. કામદેવે સમગ્ર વિશ્વને છેતર્યું છે! દુનિયા એનાથી છેતરાતી રહી છે, એ છેતરામણને ઢાંકવા માટે વિદ્વાનોએ ઘણી ઘણી વાતો લખી છે; પરંતુ એથી કાંઈ કામવાસનાની ધૂર્તતાને નકારી શકાતી નથી. અલબત્ત, આ કામવાસના વેદમોહનીય કર્મના ઉદયથી પ્રગટે છે, કર્મજન્ય છે; પરંતુ જ્યાં સુધી એ જીવના અંકુશમાં રહે છે, ત્યાં સુધી જ બરાબર , જ્યારે એ જીવને વશ નથી રહેતી, જીવ એ વાસનાને પરવશ બની જાય છે ત્યારે જીવ સુખની ભ્રમણામાં અટવાતો, દુઃખના ઊંડા પાણીમાં ઊતરતો જાય છે.... છેવટે એનો સર્વનાશ થાય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122