Book Title: Piyo Anubhav Rasha Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 99
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સામ્યશતક अध्यात्मोपनिषद्बीजमौदासीन्यममन्दयन् । न किंचिदपि यः पश्येत्स पश्येत् तत्त्वमात्मनः ।।८४ ।। : અર્થ : અધ્યાત્મ જ્ઞાનના બીજરૂપ ઉદાસીનપણાને સતેજ કરનાર જે પુરુષ કાંઈ પણ જોતો નથી, તે પુરુષ આત્મતત્ત્વને જુએ છે. વિવેચન : ઉદાસીનતા! મધ્યસ્થભાવ! સામ્યભાવ! આ ઉદાસીનતામાંથી અધ્યાત્મજ્ઞાન પ્રગટે છે. અધ્યાત્મજ્ઞાનીને આત્મહત્ત્વની પ્રાપ્તિ થાય છે. અર્થાતુ આત્મતત્ત્વને પામવા સર્વપ્રથમ, સંસાર પ્રત્યે ઉદાસીન બનવું જ પડે, માયામય વિશ્વ તરફ મધ્યસ્થભાવ જાગ્રત રાખવો જ પડે. મોહમય અવિદ્યાને સામ્યભાવથી દૂર કરવી જ પડે. અધ્યાત્મજ્ઞાનનો ઉઘાડ થયા પછી એ પુરુષને બીજું કાંઈ જ દેખાતું નથી. સહજ રીતે એ આત્મભાવ તરફ ઢળી જાય છે. એનું સમગ્ર ચિંતન, એની સમસ્ત ક્રિયાઓ, આત્માની આસપાસ જ થતી હોય છે. आत्मानमधिकृत्य या क्रिया प्रवर्तते तदध्यात्मम् । એકવાર નિજરૂપ દેખાઈ જવું જોઈએ. પછી બીજું કાંઈ એને જોવું ગમતું નથી. એવી રીતે, જ્યારે સમગ્ર સંસાર પ્રત્યે ઉદાસીનતા આવી ગયા પછી એને કાંઈ પણ જોવું ગમતું નથી. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે : उदासीनता मगन हुइ, अध्यातम रसकूप देखे नहीं कईं और जब, तव देखे निजरूप । મૂળભૂત વાત ગ્રંથકારે કરી છે : ઉદાસીનતાને સતેજ રાખવાની. જે પુરુષ ઉદાસીનતાને જીવંત રાખે છે, તે જ અધ્યાત્મજ્ઞાની બની શકે છે, અને એ અધ્યાત્મજ્ઞાની આત્મહત્ત્વની પ્રતીતિ કરે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122