Book Title: Piyo Anubhav Rasha Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 81
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સભ્યશતક यस्य साम्राज्यचिंतायां प्रधानं हंत योषितः। सोऽपि संकल्पभूः स्वस्य कथं स्थेमानमीहते ।।६६ ।। : અર્થ : ઘણા અફસોસની વાત છે કે જેના સામ્રાજ્યની મસલતામાં સ્ત્રીઓ પ્રધાન છે, એવો એ કામદેવ, પોતાની સ્થિરતા કેમ ઇચ્છતો હશે? :વિવેચન : પ્રાચીન ભારતીય રાજનીતિમાં, સ્ત્રીનું સ્થાન નગણ્ય હતું. સ્ત્રીને પ્રધાનમંડળમાં સ્થાન મળતું ન હતું. જે રાજા પોતાના પ્રધાનમંડળમાં સ્ત્રીને પ્રધાનપદ આપતો હતો તેનું રાજ્ય સલામત રહેતું ન હતું. રાજનીતિમાં સ્ત્રીની સલાહ લેવામાં આવતી ન હતી. અપવાદરૂપે કોઈ રાજા, એવી વિદુષી સ્ત્રીની સલાહ લેતો, એ જુદી વાત છે. પ્રસ્તુતમાં રાજનીતિની વાત નથી. પ્રસ્તુતમાં તો કામદેવના સામ્રાજ્યની વાત છે! કામદેવનું તો સમગ્ર પ્રધાનમંડળ સ્ત્રીઓનું બનેલું છે! કામદેવની સલાહકાર બધી સ્ત્રીઓ જ છે... અને તે છતાં અસંખ્ય વર્ષોથી કામદેવ આ વિશ્વ પર રાજ્ય કરે છે! વિશ્વ પર જામીને બેઠો છે! સ્થિર થઈને બેઠો છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે - जा के राज-विचारमें अबला एक प्रधान, सो चाहत है सर्वजय, कैसे काम तमाम? જે કામદેવના રાજ્યમાં, રાજકીય સલાહમાં સ્ત્રી-પ્રધાન છે, તે આ વિશ્વમાં વિજય ઇચ્છે છે, તે કેવી રીતે શક્ય છે? કામદેવે એ શક્ય કરી બતાવ્યું છે. સ્ત્રીના માધ્યમથી જ એણે વિશ્વ પર વિજય મેળવ્યો છે... એક માત્ર જ્ઞાની પુરુષો ઉપર એનું કાંઈ ઊપજતું નથી. જેમના હૃદયમાં આત્મજ્ઞાનનો પ્રકાશ પ્રગટ્યો હોય છે, તેઓ કામવિજેતા બને છે. સામાન્ય શ્રુતજ્ઞાની ત વિષયોની ઇન્દ્રજાળમાં ભ્રમિત થઈ જાય છે. જેમ દિમોહ થાય છે તેમ વિષયભ્રમ થાય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122