Book Title: Piyo Anubhav Rasha Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 75
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સામ્યશતક अंतरंगद्विषत्सैन्यनासीरैर्वीरकुंजरैः। क्षणादः श्रुतबलं लीलयैव विलुप्यते ।।६०।। : અર્થ : અંતરંગ શત્રુઓના સૈન્યના મોખરે રહેનારા ઇકિયોરૂપ મહાવીર, લીલા માત્રથી (સહજતાથી) શ્રુતબળ (જ્ઞાનબળ) નો ક્ષણમાં નાશ કરી નાંખે છે. :વિવેચન : અંતરંગ શત્રઓની એક મોટી સેના છે. એ સેનાના અગ્રભાગે આ ઇન્દ્રિયરૂપ પાંચ મહાવીરો રહેલા હોય છે. આ પાંચેય મહાવીરો પ્રચંડ શક્તિ ધરાવે છે. આ ઇન્દ્રિય-મહાવીરો - ભલભલા તપસ્વીઓને ભૂશરણ કરી દે છે. - મોટા દાનવીરોને ધૂળ ચાટતા કરી દે છે. - મોટા શાસ્ત્રજ્ઞોને, વિદ્વાનોને પરાજિત કરી દે છે. - મહાનું બુદ્ધિમાનોને ક્ષણવારમાં હરાવી દે છે! શાસ્ત્રો સાક્ષી છે, ઇતિહાસ સાક્ષી છે. માટે મહત્ત્વનું કાર્ય છે ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવાનું. પાંચેય ઇન્દ્રિયોને વશ કરવાની છે. આ વશ કરવાની અદ્ભુત કળા આપણે મહામુનિ સ્થૂલભદ્રજી પાસેથી શીખવાની છે. જે કોશા-વેશ્યાના ભવનમાં સ્થૂલભદ્ર ઇન્દ્રિયોથી પરાજિત થઈને પડ્યા રહ્યા હતા, તે જ ભવનમાં સ્થૂલભદ્ર મહામુનિ બનીને, પાંચેય ઇન્દ્રિયોના વિજેતા બનીને રહ્યા હતા. કોશાએ ઇન્દ્રિયોના બધા જ સુભટો દ્વારા સ્થૂલભદ્ર ઉપર આક્રમણ કર્યું હતું. પરંતુ તે ફાવી ન હતી. સ્થૂલભદ્રજીએ એ મહાનું અદ્વિતીય વિજય, આત્મજ્ઞાનની લીનતાથી મેળવ્યો હતો, સમત્વની શ્રેષ્ઠ સાધનાથી મેળવ્યો હતો. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે – अंतरंग-रिपु-कटक-भट, सेनानी बलवंत, इन्द्रिय क्षण में हरत है, श्रुतबल अतुल अनंत । For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122