Book Title: Piyo Anubhav Rasha Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 37
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાવ્યશતકે ममत्वपंकं निःशंकं परिमाष्टुं समंततः । वैराग्यवारिलहरी परिरंभपरो भव ।।२२।। : અર્થ : મમતાના કાદવને ચારેબાજુથી નિઃશંકપણે ઘોઈ નાંખવા વેરાગ્ય જલનો સંપર્ક કરવા તત્પર થાઓ. :વિવેચન : टाले दाह तृषा हरे, गाले ममतापंक, लहरी भाव वैराग्य की, ताकुं भजो निःशंक । - ઉપા. યશોવિજયજી. મનમાં કોઈ પણ જાતની શંકા રાખ્યા વિના, મમત્વના કાદવને ધોઈ નાંખો... જરાય મમત્વને ન રહેવા દો..., ચારેબાજુથી ધોઈ નાંખો... કારણ કે સર્વે દુખોનું મૂળ કારણ આ મમત્વ જ છે. મમત્વનો કાદવ જે તે પાણીથી નહીં ધોવાય. એના માટે વૈરાગ્યનું પાણી જોઈએ. વૈરાગ્યના પાણીથી મમત્વના કાદવને ધોતા જ રહી! જેમ હાથ-પગ કાદવથી ખરડાય કે તરત જ તમે પાણીથી ધોઈ નાંખો છો ને! તેવી રીતે જ્યાં અને જ્યારે મમત્વ થઈ જાય, તરત જ વૈરાગ્યના ચિંતનથી એ મમત્વને ધોઈ નાંખો. કોઈ વસ્તુ પર મમત્વ થઈ જાય, કોઈ વ્યક્તિ ઉપર મમત્વ થઈ જાય.... આ સારું છે, આ મારું છે, આ મને ગમે છે, આ મને પ્રિય છે, આ મને ઈષ્ટ છે....' તરત જ અનિત્ય ભાવનાનું કે એકત્વ ભાવનાનું, અથવા અન્યત્વ કે સંસાર ભાવનાનું ચિંતન કરો! અશુચિ ભાવનાનું કે અશરણ ભાવનાનું ચિંતન કરો! મમત્વનો કાદવ ધોવાઈ જશે... હૃદય સ્વચ્છ બની જશે. આ ભાવનાઓનું ચિંતન એ જ વૈરાગ્યનું ચિંતન છે. આ ચિંતન મમત્વના કાદવને તો ધોઈ જ નાંખે છે, સાથે સાથે અહંકારના દાક્તરને શાંત કરે છે અને તૃષ્ણાની તૃપાને હરી લે છે! સદૈવ વૈરાગ્ય-જલના કુંભ તમારી પાસે જ રાખો. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122