Book Title: Piyo Anubhav Rasha Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 54
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાગ્યશતક ૪o. उच्चस्तरमहंकारनगोत्संगमसौ श्रितः । युक्तमेव गुरुन्मानी मन्यते यल्लधीयसः ।।३९ ।। : અર્થ : અભિમાનરૂપ પર્વતના ઊંચા ઉસંગમાં રહેલો, અભિમાની પુરુષ, ગુરુને લઘુ (મોટાઓને નીચા) માને છે, તે યુક્ત જ છે! :વિવેચન : અભિમાની મનુષ્ય, ગુરુજનોને, મોટા ગજાના માણસોને અવગણી નાખે, તુચ્છ માનેએમાં આશ્ચર્ય ન પામવું! અભિમાની માટે એ યોગ્ય જ હોય છે. અભિમાનની એ પ્રતિક્રિયા જ હોય છે. - અભિમાની મનુષ્ય પાસેથી નમ્રતાની અપેક્ષા ન રાખો. - અહંકારી મનુષ્ય પાસેથી આદર-સત્કારની અપેક્ષા ન રાખો. - ગર્વિષ્ઠ મનુષ્ય પાસેથી પ્રશંસાના શબ્દોની અપેક્ષા ન રાખો. ૦ આવા લોકોમાં ઉદ્ધતાઈ હોય, તે સ્વાભાવિક માનો. ૦ આવા લોકોમાં અનાદર-તિરસ્કારભર્યું આચરણ હોય, તેને સ્વાભાવિક માનો. ૦ આવા લોકો હંમેશાં બીજાઓની ટીકા-નિંદા જ કરતા હોય છે, તે એમના માટે યોગ્ય જ હોય છે. આશ્ચર્ય ન પામો. ખેદ ન પામો. આઘાત ન અનુભવો. અભિમાની મનુષ્યો, માતા-પિતાને અવગણી નાખે છે. ઉપકારીજનોનું અપમાન કરી નાંખે છે. વડીલો-સજ્જનોને ઉતારી પાડે છે. જ્ઞાની-ધ્યાની પુરુષોને તિરસ્કારી કાઢે છે. આ બધું એમના માટે યોગ્ય જ હોય છે! આમ કહીને, ગ્રંથકાર આચાર્યદેવ, અભિમાની – અહંકારી મનુષ્યો પ્રત્યે ઉપેક્ષા-ભાવ રાખવાની પ્રેરણા આપે છે. એમના પ્રત્યે દુર્લક્ષ્ય રાખવાનું કહે છે. તેઓ આવા જ હોય.” એવું સમજીને એમની પાસેથી બીજી કોઈ સારી અપેક્ષા નહીં રાખવાનો ઉપદેશ આપે છે. આપણે પણ જો અભિમાન-પર્વતના ઊંચા શિખર પર આરૂઢ થઈ જઈએ તો આપણી પણ આવી જ સ્થિતિ થાય. બીજાઓનો અપકર્ષ જ કરવાના... આપણા જ ગુણ ગાવાના For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122