Book Title: Piyo Anubhav Rasha Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 60
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪૭ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સામ્યાતક सूत्रयंती गतिं जिह्मां मार्दवं बिभ्रति बहि: । अजस्त्रं सर्पिणीवेयं माया दंदश्यते जगत् । । ४५ ।। : અર્થ: વક્ર (વાંકી) ગતિવાળી અને બહારથી કોમળતા દેખાડતી આ માયા-સાપણ નિરંતર જગતને અતિશય ડસ્યા કરે છે. : વિવેચન : માયાવી માનવી - ક્યારેય સીધો ન ચાલે, વાંકો ચાલે. ક્યારેય એ કોમળ ન હોય, કઠોર હોય. છતાં એ બહારથી સીધો દેખાય! બહારથી કોમળ દેખાય! એટલે સરળ જીવો એના પર વિશ્વાસ કરે છે. જેઓ એના પર વિશ્વાસ મૂકે છે, એમનો એ વિશ્વાસઘાત કરે છે. નાગણની જેમ એ ડસે છે. માયાને સાપણની - નાગણની ઉપમા આપી છે. સાપણ હમેશાં વાંકી ચાલે. ઉપરથી એ કોમળ દેખાય, લીસી દેખાય, પરંતુ ભીતરમાં એ કઠોર હોય છે. જે કોઈ જીવ એને દેખાય છે, એને એ ડસે છે. ડંખ મારે છે. આખા જગતને ડંખે છે. એનો ડંખ પ્રાણ હરનારો હોય છે. ઉપાધ્યાયત્રી યશોવિજયજી કહે છે कोमलता बाहिर धरत करत वक्रगति चार, 7 माया सापिणी जग डसे, ग्रसे सकल गुण सार । ઉપાધ્યાયજીએ એક વિશેષ વાત કરી છે. 'ગ્રસે સકલ ગુણસાર.' માયાવી માણસ ડસે છે બીજાને, પરંતુ એના જ બધા ગુણ ગ્રસિત થઈ જાય છે. એના જ બધા ગુણ નાશ પામી જાય છે. માયા-સાપણની આ ભયંકરતા છે! માયાવીનો ગુણ-વૈભવ નાશ પામી જાય છે. For Private And Personal Use Only માયાવી માનવી પર ક્યારેય વિશ્વાસ ન કરવો. એની કોમળતા જોઈને કે એની મીઠી વાણી સાંભળીને ભ્રમિત ન થવું. એ ગમે ત્યારે વિશ્વાસઘાત કરી શકે છે.

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122