Book Title: Piyo Anubhav Rasha Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 49
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાખ્યશતક व्यवस्थाप्य समुन्मीलदहिंसा-वल्लि-मंडपे। નિપથ તાત્માનં ક્ષમા-શ્રીવન્દ્રન-વે રૂ૪ ': અર્થ : (હે આત્માનું) તારા આત્માને અહિંસારૂપ પ્રફુલ્લિત લતામંડપમાં રાખીને, ક્ષમારૂપ શ્રીચંદનના રસથી તેને શાંતિ આપ, :વિવેચન : અહિંસાના, કરુણાના, દયાના પ્રફુલ્લિત લતામંડપમાં સદેવ તમે રહો.... અને તમારા શરીર પર ક્ષમાના ચંદનનું વિલેપન કરતા રહો! પછી તમે જોજો કે તમને કેવી અભુત શાન્તિનો અનુભવ થાય છે. - શું કરુણાના લતા-મંડપમાં રહેવાનું તમને ગમશે? - શું તમે અવારનવાર તમારા મન પર ક્ષમાના ચંદનરસનો “એ” કરતા રહેશો? તો ક્રોધાગ્નિની જ્વાળાઓ તમને દઝાડી નહીં શકે, બાળી નહીં શકે. તમે, મારા મિત્ર, સુખપૂર્વક જીવી શકશો. આ વાત ઉપાધ્યાયશ્રી યશોવિજયજી આ રીતે કહે છે – क्षमा सार चंदनरसे, सिंचो चित्तपवित्त, दयावेल मंडप तले रहो, लहो सुख मित्त! પરંતુ જો તમે દયાના, કરુણાના મંડપમાંથી બહાર ફરવા નીકળશો તો ક્રોધ તમને જરૂર બાળશે! કરૂણાના મંડપમાંથી ભૂલેચૂકે પણ બહાર ના નીકળશો. આટલી સાવધાની તો રાખવી જ પડશે. સાથે સાથે, તમારા મનને ક્ષમાના ચંદન૨સથી ભીનું ભીનું રાખવાનું ના ભૂલશો. ક્ષમારસનો ‘એ' તમારી પાસે જ રાખજો. મન પર અવાર-નવાર છંટકાવ કરતા જ રહેજો. આ દુનિયામાં રહીને આ કરવાનું છે. તમે સંસારી હો કે સાધુ હો, તમારે આ બે કામ કરવાનાં છે, તો જ તમે ક્રોધની જવાળાઓથી બચી શકશો. સર્વભક્ષી ક્રોધથી બચવાની જો તમારી તીવ્ર ઇચ્છા હોય તો આ શ્રેષ્ઠ ઉપાય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122