Book Title: Piyo Anubhav Rasha Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 42
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮. સાયશતક सैष द्वेषशिखी ज्वालाजटालस्तापयन्मनः । निर्वाप्यः प्रशमोद्दामपुष्करावर्त्तसेकतः ।।२७।। : અર્થ : હદયને તપાવનાર, જ્વાલાઓથી વ્યાપ્ત હૈષાગ્નિને, પ્રશમના પુરાવર્ત નામના ઉગ્ર મેઘના જળસિંચનથી શમાવવો જોઈએ. : વિવેચન : દેષ ભયંકર અગ્નિ છે. એ અગ્નિમાંથી ભયાનક જ્વાળાઓ પ્રગટી રહી છે. આ ટ્રેષાગ્નિ, જીવાત્માના હૃદયને સંતાપે છે, ઉદ્વિગ્ન કરે છે. માટે એને તત્કાલ બુઝાવી દેવો જોઈએ. દેષની આ પ્રચંડ આગ, સામાન્ય અગ્નિશામક બંબાથી બુઝાય એવી નથી. એને બુઝવવા સામાન્ય વર્ષા પણ સમર્થ નથી. એને બુઝવવા તો પ્રશમનો પુષ્કરાવર્ત મેઘ જોઈએ! પુષ્પરાવર્ત મેઘની વર્ષા જ દેપના પ્રચંડ દાવાનલને બૂઝવી શકે છે. પ્રશમભાવનો પુખરાવર્ત મેઘ! ગ્રંથકારે કેવો શ્રેષ્ઠ અને અસાધારણ ઉપાય બતાવ્યો છે. આ મેઘ, મુશળધારે વરસ્યા જ કરતો હોય છે... કોઈ એવી આગ નથી આ દુનિયામાં, કે જે આ મેઘવર્ષાથી ન બુઝાય. શમભાવ, પ્રશમભાવ, ઉપશમભાવ... વરસતો જ રાખો! છ - છ મહિનાઓ સુધી સંગમદેવ ઉપર ભગવાન મહાવીર સ્વામીએ આ પ્રશમભાવના પુષ્કરામેઘને વરસતો જ રાખ્યો હતો ને! આગ બુઝાઈ ગઈ હતી. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી આ શ્લોકનો ભાવાનુવાદ આ રીતે કરે છે. प्रशम-पुष्करावर्तके, बरसत हरख विशाल, द्वेष हुताश बुझाइये, चिंताजाल ज टाल ।। જ્યારે પ્રથમ-પુષ્પરાવર્ત વરસે, ત્યારે ખૂબ હરખો! ખૂબ હરખો! પાગ્નિ (હુતાશન=આગ ને બુઝાવો! પછી કોઈ ચિંતા નહીં રહે. આપણે આપણા જ હૃદયમાંથી (હૃદયના આકાશમાંથી) આ પુષ્પરાવર્તમેઘની વર્ષા કરવાની છે! For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122