Book Title: Piyo Anubhav Rasha Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સામ્યશતક साम्यपीयूषपाथोधि-स्नाननिर्वाणचेतसाम् । योगिनामात्मसंवेद्यमहिमा जयताल्लयः ।।४।। : અર્થ : સમતારૂપી અમૃતના સાગરમાં સ્નાન કરવાથી જેમનાં ચિત્ત શાત્ત થયાં છે, તેવા યોગીઓનો આત્મજ્ઞાનમાં તન્મય થવારૂપ લય જય પામો; કે જે લયનો મહિમા, આત્માનુભવરૂપ છે. વિવેચન : શું તમારે આત્માનુભૂતિ કરવી છે? શું તમારે આત્માનુભૂતિનો પરમાનન્દ પામવો છે? તો તમે આત્મજ્ઞાનમાં તન્મય બનો! તો તમે આત્મજ્ઞાનમાં લયલીન બનો! આ લય, આ લયલીનતા તમને બ્રહ્માનંદ આપશે! પરંતુ આત્મજ્ઞાનમાં લયલીનતા યોગીપુરુષો જ પામી શકે છે, કારણ કે યોગીપુરુષો જ સમતામૃતના મહાર્ણવમાં સર્વાગીણ સ્નાન કરતા હોય છે.... આવું દિવ્ય સ્નાન કરીને તેઓ ચિત્તને શાન્ત કરતા હોય છે. આત્માનુભૂતિ કરાવનાર લય જય પામો! આત્મજ્ઞાનમાં તન્મયતારૂપ લય જય પામ! મહત્ત્વની વાત છે સમતામૃતના મહાસાગરમાં સ્નાન કરતા રહેવાની. ગ્રંથકાર આચાર્યદેવ, સમતાને અમૃતનો મહાસાગર કહે છે! એ મહાસાગરમાં સ્નાન કરનાર જ શાન્તિ પામે છે. એટલે કે ચિત્ત-શાન્તિનો રાજમાર્ગ છે સમતાભાવમાં રમણતા. સવ.... ક્ષણેક્ષણ સમતાભાવમાં રહેવાનું તમે ગૃહસ્થ હો કે મુનિ હો, સંસારી હો કે સાધુ હો, તમારે જો ચિત્ત-શાંતિ જોઈએ છે તો સમતારસનું જ અમૃતપાન કરતા રહો, સમતામૃતના સાગરમાં જ નિમજ્જન કરતા રહો.... ચિત્ત શાંત થશે એટલે આત્માનુભવ થશે જ. તમને “લયની પ્રાપ્તિ થશે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122