Book Title: Piyo Anubhav Rasha Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 31
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાધ્યશતક ममत्वविषमूर्छालमांतरं तत्त्वमुच्चकैः । तद्वैराग्यसुधासेकाच्चेतयंते हि योगिनः ।।१६।। : અર્થ : મમતાના ઝેરથી અત્યંત મૂચ્છિત થયેલા આંતર તત્ત્વને યોગીજનો વેરાગ્યના અમૃતસિચનથી સચેત કરે છે. :વિવેચન : આ તો હૃદયની વાત છે, અંત:કરણની વાત છે! ભલે એ યોગીનું હૃદય હોય, યોગીનું અંતઃકરણ હોય! ક્યારેક મમત્વનો ઝેરી ઝંઝાવાત એ હૃદયને મૂછિત કરી શકે છે, અંતઃકરાને મોહમૂઢ કરી શકે છે. આ સંસાર છે.... સંસારમાં મમતાના ઝેરી વાયરા વાતા જ હોય છે. એ વાયરાઓના ઝપાટામાં ક્યારેક યોગી-મુનિ પણ ઝડપાઈ જતા હોય છે. પરંતુ યોગી જાગ્રત હોય છે. એને ખ્યાલ આવી જાય છે પોતાના હૃદયનો, એના ઉપર થયેલી મમત્વની ઝેરી અસરનો અને તરત જ તેનો ઉપચાર આરંભી દે છે! એ ઉપચાર છે વૈરાગ્યચિતનનો. વૈરાગ્યનું ચિંતન એટલે અમૃતસિચન! મૃતપ્રાયઃ બનેલી અંતઃ ચેતનાને વૈરાગ્યનું અમૃતસિચન મળે એટલે અંતઃચેતના આળસ મરડીને બેઠી થઈ જાય છે. વૈરાગ્યના ચિંતનના મુખ્ય ચાર વિભાગો પાડી શકાય : - મમત્વ જો સ્વજનવિષયક હોય તો એકત્વભાવનાનું ચિંતન કરાય. - મમત્વ જો પરિજનવિષયક હોય તો અશરણ ભાવનાનું ચિંતન કરાય. - મમત્વ જો વૈભવ-સંપત્તિવિષયક હોય તો અનિત્ય ભાવનાનું ચિંતન કરાય. - મમત્વ જો શરીર-વિષયક હોય તો “અશુચિ' ભાવનાનું ચિંતન કરાય. આ રીતે અન્યત્વ અને સંસાર ભાવનાઓનું ચિંતન કરી શકાય. આ ભાવનાઓનું ચિતન એ જ વૈરાગ્યનું ચિંતન છે. વૈરાગ્ય ચિંતનથી મમત્વના ઝેરની અસર દૂર થાય છે. હૃદય-અંત:કરણપૂર્વક સ્વચ્છ ને સ્વસ્થ બને છે. એમાં નિર્મમત્વ પુનઃ પ્રસ્થાપિત થાય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122