Book Title: Piyo Anubhav Rasha Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાગશતક नित्यानन्द-सुधारश्मेरमनस्ककलामला। अमृतं स्यादिमं बीजमनपाया जयत्यसौ ।।६।। : અર્થ : નિત્ય આનંદસ્વરૂપ ચંદ્રની અમનસ્કતારૂપ નિર્મળ કળા, અમૃત (મોક્ષ) નું મૂળ બીજ છે એવી એ શાશ્વત્ કળા જય પામે છે. : વિવેચનઃ જેમ ચંદ્રની કળા અમૃતનું બીજ કહેવાય છે, તેમ નિત્યાનંદની નિર્મળ કળા મોક્ષનું બીજ છે! નિત્યાનંદની નિર્મળ કળા છે અમનસ્કતા! આ અમનસ્કતા એટલે ઉન્મનીભાવ. એવી અમનસ્કતા પ્રાપ્ત કરવા માટે સર્વપ્રથમ અનાસક્ત બનવું જોઈએ. તમામ પ્રકારની આસક્તિઓમાંથી મન મુક્ત થઈ જાય, પછી જ અમનસ્ક ભાવ પ્રગટે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી તો કહે છે : ચિદાનંદ-વિધુકી કલા અમૃતબીજ અનપાય, જાને કેવળ અનુભવી, કિનહિ કહી ન જાય. નિત્યાનંદ એટલે ચિદાનંદ! ચિદાનંદની કલા (અમનસ્કતા) અમૃત-બીજ છે. એને માત્ર અનુભવી જ જાણી શકે છે, એને વાણીમાં - વચનમાં બાંધી ન શકાય! ઉન્મનીભાવ' વચનનો વિષય નથી, અનુભવનો વિષય છે. આ નિત્યાનંદને, આ ચિદાનંદ’ને ‘યોગસાર ગ્રંથમાં “સહજાનંદ કહેલો છે. सहजानन्दता सेयं सैवात्मारामता मता। उन्मनीकरणं तद् यद् मुनेः शमरसे लयः।। મુનિનો સમભાવરૂપી રસમાં જે લય થાય તે જ સહજાનંદતા છે, તે જ આત્મારામતા છે અને તે જ ઉન્મનીભાવ (મનનો નાશ-ઉદાસીનતા) છે. ગ્રંથકાર મહર્ષિ નિત્યાનંદની આવી શાશ્વત્ કળાની જય બોલાવે છે! એમની સાથે આપણે પણ એ શાશ્વત્ કળાની જય બોલીએ! For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122