Book Title: Panch Sanyat Prakaranam Author(s): Kunvarji Anandji Publisher: Kunvarji Anandji View full book textPage 6
________________ ત્યાંથી આવ્યા બાદ તે પ્રકરણ છપાવવાના નિર્ણય કરી છાપવા આપ્યું. તે સાથે શ્રી ભગવતીસૂત્રમાંથી તેટલેા વિભાગ મૂળ ટીકા સાથે એની પાછળ જ દાખલ કરવા ઉચિત ધારી તેના અમલ કર્યો છે. આ સાતમા ઉદ્દેશામાં અમુક દ્વારાને અંતરે અંતરે ટીકા આપવામાં આવી છે. તેના ભાવ પણ તે તે દ્વારની સાથે જ ભાષાંતરમાં લેવામાં આવ્યે છે જેથી સમજવા માટે સરલતા થાય, એમાંથી કેટલાક ટીકા વિભાગ લખવા રહી ગયેલ તે લખીને આ સાથે સામેલ રાખેલ છે. તેમાં જણાવેલ ભાવ તે તે દ્વારા સાથે મેળવી લેવા વાંચકવર્ગને વિનતિ છે. ટીકાને આધારે કેટલીક વિશેષ સ્પષ્ટતા પૃષ્ઠ ૧૦ ઉપર ૭ સુ જ્ઞાનદ્વાર ને ૭ સુ શ્રુતદ્વાર લખ્યું છે તેમાં શ્રુતદ્વાર જ્ઞાનદ્વારના પેટામાં સમજવું. પૃષ્ઠ ૧૮ ઉપર આવેલા સંયમસ્થાન દ્વારના સમધમાં ટીકાકારે કેટલીક વિશેષતા ખતાવી છે તે નીચે પ્રમાણે સૂક્ષ્મસ પરાય સયતના અસ ંખ્ય સ્થાનેા કહ્યા છે તે તેના કાળ અંતર્મુહૂત્તના હાવાથી અને તેમાં પ્રતિસમય ચરણુવિશુદ્ધિ વિશેષ હાવાથી સમજવા. યથાખ્યાત સચતનું એક જ સ્થાન કહ્યું છે તે તેના કાળમાં ચરણુવિશુદ્ધિનું નિર્વિશેષપણું હાવાથી સમજવું છે. સચમસ્થાનના અલ્પમર્હુત્વની ચિંતામાં (વિચારમાં) કર્યું છે કે અસદ્ભાવ સ્થાપનાવડે સકળ સંચમસ્થાનનેPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 86