Book Title: Mewadna Anmol Jawahir Yane Aatmbalidan
Author(s): Bhogilal Ratanchand Vora
Publisher: Saraswati Sahitya

View full book text
Previous | Next

Page 412
________________ જ મેવાડના આણલ જવાહિર યાને આત્મલિદાન કરતા અને પિતાના (ધર્મના) સિહાંતિને એવી રીતે તે દઢતાથી તેનામાં ઠસાવતા અને એટલી બધી બુદ્ધિમત્તાથી ધ્યાનમાં લીધા વગર છુટકે નહિ એવી તદ્દન સ્વતઃ સ્પષ્ટ જણાય એવી રીતે વાતને દાખવતા કે કઈપણ મનુષ્ય પોતાની શંકા જાહેર કરી સમ્રાટના હદયમાં સદેહ ઉત્પન્ન કરી શકતો નહતો, પછી ભલે પર્વતના ચુરા થઈ ધુળ થાય યા આકાશમાં ચીરા પડી જાય. “આથી સમ્રાટે ઈસ્લામ ધર્મના પુનરૂદ્દભવ સંબંધીના ખ્યાલો, કયામતના દિવસ અને તેને લગતી વિગત તેમજ અમારા પયંગબરની દંતકથા પર રચાએલા બધા હુકમોમાં શ્રદ્ધા કાઢી નાખી. ખાસ કરીને આત્માઓના પુનર્જન્મના સિહોતે તેના ચિત્તમાં દઢ મુળ નાંખ્યું, અને તેણે એ કહેવત સ્વીકારી કે “એવો કોઈ પણ ધર્મ' નથી કે જેમાં પુનર્જન્મના સિદ્ધાંતે ઉંડાં મુળ ઘાલ્યા ન હોય.” અલ–બદાઉનિ ૨, ૨૬૩-૨૬૪. ઉપરના લખાણથી એ સ્પષ્ટ છે કે સમ્રાટ સત્યને જબરો શોધક હતો. તેણે પોતાના અધિકારીઓ પાસેથી હીરવિજયસૂરિનાં તદ્દન સંતશીલ ચારિત્ર અને બીજા શ્રેષ્ઠ સદગુણેની વાત સાંભળીને................. પોતાની પાસે બોલાવ્યા હતા. (જે. સા. ઈ. પૃ. ૫૫૮) (૬૪) ભાનુચંદ્રજી બાદશાહ કાશ્મીર ગયા ત્યારે ત્યાં ગયા. ત્યાંના રાજા જયન બંધાવેલ જયલલંકા નામના ૪૦ કેશના સરોવર ઉપર તેમણે બાદશાહને અરજી કરી કે શેત્રુંજય તીર્થમાં યાત્રાળુ પર લેવાતે કર માફ કર. એટલે તે પવિત્ર પર્વતને કરથી મુક્ત કરી. હીરવિજયસરિને અર્પણ કરી દીધાનું ફરમાન બાદશાહે પિતાની મહોરવાળું કરી સરિ પ્રત્યે મોકલી આપ્યું. ( પૃ. ૫૫૦ ). (૫) સં. ૧૯૩૫ માંઈબાદતખાનામાં જેને આવી ચર્ચા કરતા અને ભાનચંદ્ર ઉપાધ્યાય પ્રાય: અકબરના મરણ સુધી (સં. ૧૮૬૧ ) તેના દરબારમાં રહ્યા હતા. અગર સં. ૧૬૩૯ થી ૧૯૬૦ તો અવશ્ય અકબરને જેને સાથેનો સહવાસ-પરિચય આ રીતે ઓછામાં ઓછાં વીસ વર્ષ કરતાં વધું ચાલે. બધા ધર્મો પિકી જૈન અને જરથોસ્તી ધર્મ એ બેની અસર અકબરના મન પર ઘણી થઈ હતી. (વિમિથ. ) સૂર્યનાં નામ ગણવાં અમારિના દિવસોમાં પારસીના તહેવારો નવરોઝાદિ મુકવા એ જરથોસ્તી ધર્મની અસર છે. સં. ૧૬૩૬ માં દીને ઇલાહી (ઈશ્વરને ધર્મ) નામને નવ ધર્મ પ્રચલિત કરી તેમાં વિવિધ ધર્મોનાં રહસ્ય સમજી લઈ તેની પસંદ પડતી વિધિઓ અને સિદ્ધાંત પોતાના ધર્મમાં આમેજ કર્યો જતે હતે. માત્ર ૫-૬ વર્ષમાં જ ઈસ્લામ ધર્મનું નામ નિશાન પણ ભુંસાઈ ગયું હતું અને સર્વત્ર એક પ્રકારનું વિચિત્ર દ્રશ્ય જ નજરે પડતું હતું. (૧૮) એ જૈન સાસનને વીરાત ૨૪૩૭ ને દીવાળીને ખાસ અંક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480