Book Title: Mewadna Anmol Jawahir Yane Aatmbalidan
Author(s): Bhogilal Ratanchand Vora
Publisher: Saraswati Sahitya

View full book text
Previous | Next

Page 438
________________ ૩૬૬ મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન આવા અનેક પદોમાં આવું અનુભવી ગીત મેવાડની કઠણાઈને ગાઈ બતાવી છે. આનું મુખ્ય કારણ તો એક જ છે કે મેવાડના વિશાળ પહાડી ભાગોમાં ઉતરવાવાળા મુસાફરને આવે અનુભવ જરૂર થાય છે. મેવાડમાં કાંટા કંકર પહાડ તથા પત્થર નદી વગેરે નાળાવાળ સુકો દેશ હોવા છતાં પણ દેવ ભૂમિવાળો દેશ છે અને ચારિત્રશાળી પુર્વો ચાની ચરણ રજથી પવિત્ર બનેલો દેશ છે. હિંદુધર્મને રક્ષણ હાર દેશ છે. તથા આત્માભિમાન સાથે ગૌરવશાળી દેશ છે. એમાં જરા પણ સંદેહ નથી. મેવાડમાં કેશરીયાજી, કડા, દેલવાડા, અદબદજી, દયાળશાહને કિલે, ચિત્તોડગઢ, વિગેરે જેન તિર્થો હાલ મોજુદ છે. આ સિવાય સારા મેવાડમાં લગભગ ત્રણ હજાર જૈન મંદિરે વિમાન છે. મેવાડના એ મંદિરે તથા તિર્થોનું નિરીક્ષણ કરવાથી માલુમ પડે છે કે શીલસૂરિ. સોમસુંદરસૂરિ સવોનંદસૂરિ, ઉદયરત્નસૂરિ, ચારિત્રરત્નસૂરિ, જીનચંદ્રસૂરિ, જીનસિંહસૂરિ, વિજયદેવસૂરિ, શાંન્તિસૂરિ, તથા માનસૂરિ. એવા અનેક આચાર્યોએ મેવાડની ભૂમિમાં પધારી ભૂમિને પવિત્ર કરી શાશનની શોભા વધારી છે. ઉપરોકત આર્ચાના સમયે મેવાડ દેશમાં જેનધર્મને માનવાવાળી વસ્તીનો લગભગ પચાસ હજાર જેના ઘર હતા આજ વર્તમાન યુગમાં આજ એજ મેવાડમાં તેમજ ઉદયપુરમાં મામૂલી મુશકીલથી પાંચથી સાતશે ઘર ફક્ત મૂતિપૂજકોન છે મેવાડની આવી શોચનીય દશા આવવાનું મુખ્ય કારણ અનુભવથી એકજ જણાય છે કે વેતામ્બર મૂર્તિપૂજક સાધુઓના વિહારને અભાવ અને સાધુઓમાં આવેલી શીથીલતાના કારણથી પાછળથી ઘણા વર્ષોથી વિહાર બીલકુલ બંન્ધ રહ્યો હતે ખરું કારણ તે એક જ છે કે જે સાધુઓ શીથીલ ન બન્યા હોત અને મેવાડને પ્રવાસ જારી રાખી ઉપદેશ રૂપી અમૃતવાણીનું જે પ્રજાના હૃદયમાં સીંચન કર્યું હતું તે આજે આ દશા મેવાડની ન આવત પણ લાચાર કે જ્યાં ભાવિજ પ્રતિકુળ હોય ત્યાં કે શું કરે. તે પછી તો યુગનાયુગ બદલાયા. પણ વર્તમાન યુગમાં ચોદથી પંદર વર્ષથી સ્વર્ગવાસી વિજય નિતિસૂરિશ્વર મેવાડમાં પધાર્યા તેઓશ્રીએ મેવાડના ગામડાઓમાં વિહારમાં જે જનતાની કુદર્શી જોઈ અને અન્ય ધમીઓનાં સતત પ્રચારથી અને ઉપદેશથી જૈન મંદિરની પણ ખરાબ હાલત થઈ રહી હતી લગભગ આખા મેવાડમાં પણ હજારો મંદિરોની હારમાળા હોવા છતાં એક પણ મંદિર ઉપર સફાઇ કે રોણુક જેવામાં ન આવી તે પછી ચિત્તોડના કિલ્લાની મુસાફરી કરી તે કિટલે જતાં કિલાના ઉપર કસ્મશાહ શૃંગાર ચવરી જેના કીર્તિસ્થંભ સત્તાવીશ દેરીનું દહેરાસર, આવા અજોડ મંદિરોની હારમાળા જેતાં જ તેમજ તે મંદિરની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480