Book Title: Kshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Author(s): Rasesh Jamindar
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 16
________________ પ્રકરણ એક વિષયપ્રવેશ “ગુજરાત' નામનો પ્રારંભ અત્યારે આપણે જે ભૂભાગને “ગુજરાત નામથી ઓળખીએ છીએ, તે સમગ્ર પ્રદેશ આજથી આઠસો વર્ષ પહેલાંના કાળમાં “ગુજરાત' નામથી ઓળખાતો ન હતો. આમ તો, આ પ્રદેશની ભૂમિ હજારો વર્ષ જેટલી પૂર્વકાલીન છે. વેદ સાહિત્યમાં ગુજરાત વિશે કોઈ નિર્દેશ નથી, પણ વેદાંગ સાહિત્યમાં વ્યાકરણના ગ્રંથોમાં આપણા પ્રદેશનાં કેટલાંક સ્થળોનો ઉલ્લેખ ઉપલબ્ધ છે : પાણિનિના “અષ્ટાધ્યાયી' ગ્રંથમાં કચ્છનો, સમુદ્રકાંઠે આવેલા ફળદ્રુપ પ્રદેશ તરીકે, નિર્દેશ છે. ઉપરાંત આ ગ્રંથના ગણપાઠમાં આનર્તદેશ, વલભીનગરી અને મહી નદીનો ઉલ્લેખ છે. સૂત્રગ્રંથોમાં સૌરાષ્ટ્રની પ્રજાનો પણ નિર્દેશ છે. તેરમી સદી ઈસ્વી પૂર્વેના કાળમાં આપણા પ્રદેશ સારુ ભિન્ન ભિન્ન સમયે “આનર્ત', ‘લાટ', “સુરાષ્ટ્ર અને “ગુર્જરદેશ' જેવાં વિભિન્ન નામ પ્રયોજાતાં હતાં અને આ નામ જુદે જુદે સમયે વિવિધ અર્થ ધરાવતા હતા. આથી, પૂર્વકાલના આ પ્રદેશના સમગ્ર ઇતિહાસ વાતે આમાંનું એકેય નામ પ્રયોજવું ઉચિત નથી. આથી કાલાતિક્રમનો દોષ વહોરીને પણ સગવડ ખાતર ઇતિહાસના સમગ્ર કાલ કાજે તેનું વર્તમાન નામ વાપરવાનો રિવાજ પ્રતિષ્ઠિત થયો છે. તેથી આ પુસ્તકમાં પણ આ લેખકે આ નામનો, એટલે કે નિરાંત નામનો, વિનિયોગ કર્યો છે. આપણા પ્રદેશ સારુ પુનરાંત નામનો પ્રારંભ સોલંકીકાલથી થયો. સંસ્કૃતમાં તેને ચૌલુક્યકાલ કહેવાય છે. ગુજરાત નામનો પહેલપ્રથમ જ્ઞાત ઉલ્લેખ ઈસ્વી ૧૨૩૩માં લખાયેલા આબૂરાસ'માં જોવો પ્રાપ્ત થાય છે. અગાઉના ઉલ્લેખોમાં “ગુર્જરદેશ', “ગુર્જર મંડલ', ગુજ્જરત્તા', “ગુર્જરત્રા”, “ગુર્જરત્ર', “ગુર્જરાટ” અને “ગુર્જરાત' જેવી સંજ્ઞાઓનાં નિર્દેશ સાહિત્યિક તેમ જ આભિલેખિક સાધનોમાં જોવા મળે છે. પરંતુ સ્પષ્ટ : “ગુજરાત' સંજ્ઞા આપણા પ્રદેશને પ્રાપ્ત થઈ તેરમી સદીથી એ અંગે કોઈ મતભેદ નથી. ગુજરાતના ઇતિહાસનો આરંભ આમ તો, ગુજરાતની ભૂમિનો ઇતિહાસ એ ભૂમિની રચનાથી શરૂ થાય છે. ખરેખર તો ઇતિહાસનો ખરો આરંભ તો જે તે ભૂમિ ઉપર જીવંત સૃષ્ટિની અંતર્ગત માનવયોનિનો આવિર્ભાવ થાય ત્યારથી ગણી શકાય. આ રીતે તો ગુજરાતના ઇતિહાસનો આરંભ પ્રાગૈતિહાસિક યુગથી શરૂ થયો ગણાય. ગુજરાતમાં આ યુગની શરૂઆત સાબરમતી, મહી, ઓરસંગ અને નર્મદા નદીના કિનારે પહેલવહેલા દેખા દેતા પૂર્વકાલીનતમ માનવથી થાય છે. પરંતુ ગુજરાતનો સપ્રમાણ ઇતિહાસ મૌર્યવંશીય સમ્રાટ ચંદ્રગુપ્તના શાસન સમયથી હાથવગો થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 464