Book Title: Jina darshan Poojan Vidhi
Author(s): Mitranandvijay
Publisher: Shantinagar Jain Aradhak Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ પ્રેક્ટીસ વગર આ ય કઠીન છે. રાત્રે સૂતી વખતે નક્કી કરીને સૂઈ જાવ કે સવારે ઊઠીને પહેલાં નવકાર જ ગણુ છે. ભૂલાય તે બીજે દિવસે. એમ ૮-૧૦ દિવસે આ ટેવ પડી જશે. પથારીમાં જ ૭-૮નવકાર મનમાં ગણે. વસ્ત્ર કે શરીર અપવિત્ર હોય તે ય મનમાં ગણવામાં વાંધે કે બાધ નથી. આચારે દેશમાં કહ્યું છે કે “પવિત્રપવિત્ર સુસ્થિત સ્થિત પિવા પવિત્ર હોય કે અપવિત્ર હોય, સારી અવસ્થા હોય કે ખરાબ અવસ્થામાં હોય તે પણ પરમેષ્ઠિમંત્ર જાપ કરનાર સર્વ પાપોથી મુક્ત થાય છે. નમસ્કાર મહામંત્રનો જાપ કર્યા પછી જે નસ્કોરામાંથી શ્વાસોશ્વાસ ચાલતો હોય તે બાજુને પગ જમીન પર મૂકી, પથારીમાંથી નીચે ઉતરી, શરીરશુદ્ધિ કરી, શુધ વસ્ત્ર પહેરી પૂર્વ કે ઉત્તર દિશા સામે બેસી ૧૦૮ નવકારને (બાંધી નવકારવાળી) જાપ કરો. સાધુ કે શ્રાવકે રોજ ૧૦૮ નવકારને જાપ કર એવું શાસ્ત્ર ફરમાન છે. ૧૦૮ નવકારને જાપ શા માટે ? પંચપરમેષ્ઠિના ૧૦૮ મહાન ગુણેની પ્રાપ્તિ માટે ૧૦૮ નવકાર ગણવા જોઈએ. એ માટે નવકારવાળીના મણકા પણ ૧૦૮ છે. શ્રી અરિહંતદેવના ૧૨ + સિદ્ધ પરમાત્માના ૮ + આચાર્ય મહારાજના ૩૬+ ઉપાધ્યાય મહારાજના ૨૫ + સાધુ મહારાજના ૨૭ = ૧૦૮ ગુણ. બીજુ કારણ, આપણું મનમાં રહેલી પાપ કરવાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66