Book Title: Jina darshan Poojan Vidhi
Author(s): Mitranandvijay
Publisher: Shantinagar Jain Aradhak Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 44
________________ ૩૫ માથું વગેરે લુછાય નહિ. પૂજા કરતાં પુરૂષને બે વસ્ત્રો તથા સ્ત્રીઓને ત્રણ વસ્ત્રો પહેરવાની આજ્ઞા છે. રેજનાં ચાલુ વપરાશનાં કપડાંની સાથે પૂજાનાં વસ્ત્રોને મૂકીને રાખવા નહિ. બેતિયાને ઉપગ ખેસની જગ્યાએ કે ખેસને ઉપગ ધોતિયા તરીકે કરાય નહિ. પૂજાનાં કપડાં જે સુતરાઉ હેય તે તે જ ધોવાં જોઈએ. અને બીજે દિવસે સ્નાન કરીને સ્વચ્છ રૂમાલથી શરીર લૂછીને પછી તે કપડાં પહેરવાં જોઈએ. (૩) મન શુદ્ધિઃ પૂજા કરતી વખતે મનને એકદમ પવિત્ર બનાવી દેવું જોઈએ. તેમાં એક પણ મલિન કે ખરાબ વિચાર ન આવવા દે. આ મનની શુદ્ધિ જ સૌથી વધારે મહત્ત્વની શુદ્ધિ છે. (૪) ભૂમિ શુદ્ધિ : (પૂજારીએ, પૂજા કરનારાએએ) દેરાસરને કચરે બરાબર વાળ્યો છે કે નહિ ? પૂજાનાં ઉપકરણે; કેસર, વંદન ઘસવાની જગા, પબાસણ, ગભારો, શણગાર ચોકી વગેરે સ્થળની ઝીણવટથી તપાસ કરવી જોઈએ. ત્યાં જે કચરે દેખાય છે તે જયણાપૂર્વક જાતે સાફ કરે અથવા બીજા પાસે કરાવવું. સૂક્ષ્મ જીવાત દેખાય તે કમળ પૂજણ અથવા સાવરણીથી તેને સાચવીને ઉપાડીને એકાંત જગ્યાએ સુરક્ષિત રહે તે રીતે મૂકી દેવી જોઈએ. સવારે એક પ્રસ્તુર વીત્યા પછી જ પ્રક્ષાલ કરે જોઈએ. પ્રક્ષાલ કરતાં પહેલાં પ્રભુજીને ચઢાવેલું નિર્માલ્ય (વાસી ફૂલ વગેરે) સંભાળીને ઉતારી લઈ નિજીવ જગ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66