________________
બસ, કેસર વગેરેથી પૂજા કરવી. પૂજા કરતાં નખ કેસરમાં બોલાય નહિ અને પ્રભુજીને અડકે નહિ તથા કેસરના છાંટા પડે નહિ તેની કાળજી રાખવી. અંગૂઠાની પૂજાને દુહે :
જલભરી સંપુટ પત્રમાં, યુગલિક નર પૂજત;
ઋષભચરણ અંગૂઠડે, દાયક ભવજલ અંત, ભાવનાઃ કમરની નીચેને ભાગ હલકા અંગ તરીકે માનવામાં આવે છે. એમાં પણ પગને તે સૌથી હલકે ગણવામાં આવે છે. છતાં પણ હે પ્રભુ ! આપના ઉદાત્ત આત્મતેજથી જેવી રીતે આપના ચરણેને અંગૂઠે પૂજ્ય બન્યું, તેવી રીતે હું પણ આપની પૂજા દ્વારા વિવેક મેળવીને પૂજ્ય બનું.
દુહો બેલ્યા પછી આ ભાવના ભાવીને પ્રભુના જમણ ડાબા અંગૂઠે તિલક કરવું.
પછી આંગળીમાં ચંદન લઈ જાનુ પૂજાને દુહો બેલા. જનપૂજાને દુહે :
જાનુબળે કાઉસ્સગ્ય રહ્યા, વિચર્યા દેશ વિદેશ ખડાં ખડાં કેવળ લઉં, પૂજે જાનુ નરેશ.
ભાવના – હે પ્રભુ! આપે આ ઢીંચણના બળ ઉપર ધીરજપૂર્વક કાઉસ્સગ્નમાં ઊભા રહીને કઠીન કર્મોને ક્ષય કરીને કેવળજ્ઞાન મેળવ્યું. તેમજ દેશવિદેશમાં વિહાર કરીને ભવ્યાત્માઓને પ્રતિબોધ્યા. હું પણ આપની જેમ કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને ભવ્યાત્માઓને પ્રતિબંધન કરું. - આ ભાવના ભાવીને પ્રભુના જમણુ–ડાબા ઢીંચણે તિલક કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org