SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ બસ, કેસર વગેરેથી પૂજા કરવી. પૂજા કરતાં નખ કેસરમાં બોલાય નહિ અને પ્રભુજીને અડકે નહિ તથા કેસરના છાંટા પડે નહિ તેની કાળજી રાખવી. અંગૂઠાની પૂજાને દુહે : જલભરી સંપુટ પત્રમાં, યુગલિક નર પૂજત; ઋષભચરણ અંગૂઠડે, દાયક ભવજલ અંત, ભાવનાઃ કમરની નીચેને ભાગ હલકા અંગ તરીકે માનવામાં આવે છે. એમાં પણ પગને તે સૌથી હલકે ગણવામાં આવે છે. છતાં પણ હે પ્રભુ ! આપના ઉદાત્ત આત્મતેજથી જેવી રીતે આપના ચરણેને અંગૂઠે પૂજ્ય બન્યું, તેવી રીતે હું પણ આપની પૂજા દ્વારા વિવેક મેળવીને પૂજ્ય બનું. દુહો બેલ્યા પછી આ ભાવના ભાવીને પ્રભુના જમણ ડાબા અંગૂઠે તિલક કરવું. પછી આંગળીમાં ચંદન લઈ જાનુ પૂજાને દુહો બેલા. જનપૂજાને દુહે : જાનુબળે કાઉસ્સગ્ય રહ્યા, વિચર્યા દેશ વિદેશ ખડાં ખડાં કેવળ લઉં, પૂજે જાનુ નરેશ. ભાવના – હે પ્રભુ! આપે આ ઢીંચણના બળ ઉપર ધીરજપૂર્વક કાઉસ્સગ્નમાં ઊભા રહીને કઠીન કર્મોને ક્ષય કરીને કેવળજ્ઞાન મેળવ્યું. તેમજ દેશવિદેશમાં વિહાર કરીને ભવ્યાત્માઓને પ્રતિબોધ્યા. હું પણ આપની જેમ કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને ભવ્યાત્માઓને પ્રતિબંધન કરું. - આ ભાવના ભાવીને પ્રભુના જમણુ–ડાબા ઢીંચણે તિલક કરવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004992
Book TitleJina darshan Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorMitranandvijay
PublisherShantinagar Jain Aradhak Mandal Ahmedabad
Publication Year
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy